વૈજ્ઞાનિકોએ વાયરસના નવા વેરિએન્ટને લઈને આપી ચેતવણી,સાત દિવસમાં જ દર્દીનું વજન કરી નાખે છે ઓછુ

નવા અને ઘાતક વેરિઅન્ટને લઈને વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે અને કહ્યું કે  વેરિએન્ટ અંતિગંભીર અને એન્ટિબોડી ઓછી  કરે છે. ઘાતક વાયરસનો આ વેરિએન્ટ સૌપ્રથમ બ્રાઝિલથી મળ્યો હતો. સીરિયાઈ હૈમસ્ટર નામના ઉંદર પર પ્રયોગ કરતા જાણવા મળ્યુ કે સંક્રમિત થવાના 7 દિવસમાં વાયરસ વિશે જાણી શકાય છે.

અલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા બાદ હવે ભારતમાં એક વધુ નવા કોરોના વેરિઅન્ટનો ખુલાસો થયો છે, જે 7 દિવસમાં દર્દીનું વજન ઘટાડી દે છે. વાયરસનો આ વેરિઅન્ટ બ્રાઝિલમાં સૌ પહેલા મળ્યો હતો. ત્યાંથી એક વેરિઅન્ટ ભારત આવવાના સમાચાર મળ્યા હતા

આ વર્ષે જાન્યુઆરીમાં કોરોના વાયરસના પી1 વંશની માહિતી મળી હતી અને સાથે આ વાયરસમાં 17 પ્રકારના સ્પાઇક પ્રોટીન પર ભિન્નતા જોવા મળી હતી.

આ વેરિઅન્ટ ઝડપથી શરીરનું વજન ઘટાડે છે અને ડેલ્ટાની જેમ તે પણ વધારે ગંભીર અને એન્ટીબોડીની ક્ષમતાને ઓછી કરે છે.

કોરોનાના જાન્યુઆરીમાં આવેલા પી1 વંશથી ખ્યાલ આવે છે જેને 20જે/ 501વાયવી 3ના નામે પણ ઓળખાય છે. તેમાં 17 પ્રકારના સ્પાઈક પ્રોટીન પર ફેરફાર જોવા મળ્યા છે. પી2 વંશ પણ ભારતમાં આવ્યો છે. જે સ્પાઈક પ્રોટીનમાં ઈ484કે નામનો એમિનો એસિડમાં ફેરફાર આપે છે. તેમાં એન501 વાઈ અને કે 417 એન નામનું પરિવર્તન નથી. હવે સરકારે વિદેશ યાત્રાથી પરત આવેલા માટે પણ જીનોમ સિક્વન્સિંગને અનિવાર્ય કર્યું છે.

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 9 સીરિયાઈ હૈમસ્ટર પર 7 દિવસના રિસર્ચ કરાયું હતું જેમાં 3ના મોત થયા હતા. તેમાં મોત શરીરના અંદરના ભાગમાં સંક્રમણ વધતા થયા હતા. આ સમે ફેફસાની વિકૃતિને વિશે ખ્યાલ આવ્યો અને સાથે એન્ટીબોડીનું સ્તર ઘટવાની જાણકારી મળી હતી.

વૈજ્ઞાનિકોના અનુસાર કોરોના વાયરસના મોટાભાગના પરીક્ષણ સીરિયાઈ હૈમસ્ટર પર થઈ રહ્યા છે. એવામાં એવું કહેવું ખોટું નહીં રહે કે જો બી  .1.1.28.2ની સાથે જોડાયેલા કેસ વધી રહ્યા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.