ગુજરાતનાં શિક્ષણમંત્રીનાં ૨૫% ફી ધટાડવાનાં નિવેદન થતાં સંચાલકોનો વિરોધ શરુ..

કોરોનાને લીધે ગત વર્ષે આખુ વર્ષ સ્કૂલો રેગ્યુલર શરૃ ન થતા આ વર્ષે પણ હજુ ક્યાં સુધી રેગ્યુલર સ્કૂલો ઓફલાઈનમાં મોડમા ચાલુ થશે તે નક્કી થશે ત્યારે ફી ઘટાડાની માંગ વચ્ચે સરકાર ઈચ્છે છે કે સ્કૂલો ફી ૨૫ ટકા ઘટાડો કરે અનેલ આજે શિક્ષણમંત્રીએ ફી ઘટાડા બાબતે નિવેદન પણ આપ્યુ હતું. પરંતુ જેની સામે સ્કૂલ સંચાલકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાતના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે આજે પોતાની કોર કમિટીની બેઠક બોલાવી હતી અને જેમાં નિર્ણય કર્યો હતો કે ફી ઘટાડો નહી કરવામા આવે.મહામંડળે જણાવ્યુ છે કે શિક્ષણમંત્રીએ પોતાના નિવેદનમાં ૨૫ ટકા ફી ઘટાડો ચાલુ વર્ષે પણ કરવા જણાવ્યુ પરંતુ તેની સાથે સ્કૂલો સહમત નથી.

ગત વર્ષે ૨૫ ટકા ફી ઘટાડયા બાદ સ્કૂલોની આર્થિક સ્થિતિ ખોરવાઈ હતી અને ૫૦ ટકા વાલીઓ ફી ભરવામા ઉદાસીન રહ્યા હતા.જેથી જો રાજ્ય સરકાર ચાલુ વર્ષે આવી કોઈ બાબતમાં જાહેરનામુ બહાર પાડી ફી ઘટાડવા ફરજ પાડશે તો સ્કૂલ સંચાલક મંડળ કાનુની રસ્તો અપનાવતા સરકાર સામે કોર્ટમાં જશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.