128 દિવસ ગુજરાતના મુખ્યમંત્રી રહેનાર દિલીપ પરીખનું 82 વર્ષની જૈફ વયે નિધન

દિલીપ પરીખ ગુજરાતના 13માં મુખ્યમંત્રી હતા. તેમણે ગુજરાતમાં 28મી ઓક્ટોબરથી 1997થી 4થી માર્ચ 1998 સુધી મુખ્યમંત્રી તરીકે ગુજરાતના મુખ્યમંત્રી હતા. 1990માં તે ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસના પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે. 

દિલીપ પરીખે મુંબઈની એલફિસ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. અને પ્લાસ્ટિકના વેપારી પણ હતા. તેઓ 1990માં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ રહ્યા. અને પ્રથમ વખત 1995માં ભાજપ તરફથી ધંધૂકાથી ચૂંટણી લડ્યા હતા.

દિલીપ પરીખનો જન્મ 1937માં થયો હતો મુંબઈની એલફિસ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. દિલીપ પરીખ પ્લાસ્ટિકના વેપારી પણ હતા.1990માં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ હતા. 1990માં શંકરસિહ વાઘેલા દિલીપ પરીખને રાજકારણમાં લઈ આવ્યા હતા.

પ્રથમ વખત 1995માં ભાજપ તરફથી ધંધૂકાથી ચૂંટણી લડ્યા હતા.શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા દિલીપ પરીખ બાપુ સાથે હતા. શંકરસિંહે રાજીનામુ આપતા દિલીપ પરીખે રાજ્યના 13માં CM બન્યા હતા. 28 ઓક્ટોબર,1997ના રોજ દિલીપ પરીખે CMના શપથ લીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.