મધ્યપ્રદેશથી ગુજરાત આવતી કારને નડયો અકસ્માત. મૃતદેહો એવી રીતે બહાર કઢાયાં કે….

છોટાઉદેપુરનાં સંખેડા પાસે મોડીરાત્રે ભયંકર અકસ્માત સર્જાયો હતો. એસટી બસ અને કાર વચ્ચે થયેલી ટકકરમાં ચાર લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજયા છે. મોડી રાત્રે થયેલાં અકસ્માતમાં મધ્યપ્રદેશથી ગુજરાત આવતાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડી રાત્રે સંખેડાનાં છુછાપુરા ગામ પાસે લગભગ ૨.૩૦ વાગ્યાં આસપાસ એેસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મધ્ય પ્રદેશ પાસિંગની હ્યુન્ડાઇ કંપની ની ક્રેટા કાર આવી રહી હતી. છુછાપુરા ખાતે આ કાર એસટી બસ સાથે અથડાઈ હતી. આ બસ કાલાવાડથી છોટાઉદેપુર રુટની હતી.

આ અકસ્માત એટલો જોરદાર હતો કે, કારને ભારે નુકસાન થયુ હતું. રાતના અંધારામાં ટક્કર એટલી જોરદાર હતી કે, કારમાં સવાર ચારેય જણાને અંદર જ મોત મલ્યુ હતું. એટલુ જ નહિ, કારનો બૂકડો વળી ગયો હતો. જેથી મૃતદેહોને કારને તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ કામમા સ્થાનિકો પણ મદદે આગળ આવ્યા હતા.

જોકે, બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા. પરંતુ કારમાં સવાર પટેલ દિનેશભાઈ, ઈશ્વરભાઈ કરશનભાઈ ગુર્જર, રાજેશભાઈ દેવરામભાઈ ગુર્જર અને ગ્યારશીલાલના મોત નિપજ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.