વરસાદ ખેંચાયા બાદ સિંચાઇનું પાણી આપવા મામલે નીતિન પટેલ આપ્યો મોટું નિવેદન….

ગુજરાતમાં વરસાદ ઓછો પડયો છે.જેને કારણે ખેડૂતો માટે સિંચાઈની સમસ્યા ઊભી થઈ છે.ખેડૂતો પાણી માંગી રહ્યા છે.ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. સ્વતંત્ર દિવસના પ્રસંગે નીતિન પટેલે કહ્યું કે,ખેડૂતોને સિંચાઇનું પાણી આપી શકાય તેમ નથી..

નીતિન પટેલે કહ્યું કે, આ વર્ષે રાજ્યમાં વરસાદ ઓછો પડયો છે.ચોમાસાના પાણી પર જ ખેતી નિર્ભર રહેશે. તેનું પાણી આપી શકાય એમ નથી. કારણ કે રાજ્યના તમામ ડેમ ૩૦% સુધી પાણી હોય સિંચાઇ માટે પાણી આપી શકાય તેમ નથી, માત્ર પીવાના પાણીનો રિઝવઁ જથ્થો હોય, સિંચાઇનું પાણી આપવા શક્ય નથી.

નીતિન પટેલના આ નિવેદન છે,હવે ખેડૂતોમાં પણ ચિંતા વાતાવરણ સર્જાયું છે.આગામી સમયમાં હવામાન વિભાગે એક સપ્તાહમાં વરસાદ થાય તો ખેતી બચી શકશે એવું જણાવ્યું છે..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.