ગુજરાતમાં વાગી રહ્યાં છે દુષ્કાળનાં ડાકલાં. અરે બાપ રે 98 ડેમમાં માત્ર આટલાં ટકા પાણી..

કોરોનાનાં કપરાકાળ બાદ હવે ગુજરાત પર આવી પડી છે જે જળસંકટની આફત. ઓગસ્ટ મહિનો પૂણઁ થવા આવ્યો રાજયમાં ૬૫ % ઓછા વરસાદને કારણે દુષ્કાળનાં ભણકારા વાગવા લાગ્યા છે.

અત્યાર સુધી ૪૧.૫% વરસાદ થયો છે. રાજયમાં ૯૮ ડેમમાં હાલ ૨૫% પાણી છછ. જયારે નમઁદા ડેમમાં ક્ષમતા કરતાં ૨૦ મીટર ઓછું પાણી છે.

રાજયમાં તમામ ૩૩ જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે. ૧૯ જિલ્લામાં વરસાદની ધટ ૫૦%થી વધુ છે. નમઁદા યોજનામાં વષઁ રૂ. ૦૭ હજાર કરોડનો ખર્ચ થાય છે. છતાં લોકોની પાણીની સમસ્યાઓ સામે લડવું પડે એવી સ્થિતિ છે.

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદ ન વરસતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. રાજયમાં દુષ્કાળનો ભય પણ સેવાઈ રહ્યો છે. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

પત્રમાં ખેડૂતોના હિત માટે રાજ્ય સરકાર તાત્કાલિક યોગ્ય જાહેરાત કરે તેવી પણ માંગ કરવામાં આવી હતી. ધાનાણીએ કહ્યું કે, સરકાર મુખ્યમંત્રી સહાય હેઠળ અને અછત મેન્યૂઅલ મુજબ નિર્ણય કરે. અગાઉ તાઉતે વાવાઝોડા અને હવે ઓછા વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે.

જેથી જે વિસ્તારમાં જમીનતળમાં પાણી ઉંડા હોય ત્યાં 14 કલાક વીજળી આપવામાં આવે અને તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને 100 ટકા વળતર આપવામાં આવે તેવી ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ પણ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.