ભાભી કીધું મારે તમારી સાથે રોમેન્ટિક વાત કરવી અને પછી…..

ગુજરાતનાં બનાસકાંઠાનાં દાંતીવાડાનાં શેરગઢ ગામે સગા ભાઈએ જ પોતાનાં ભાઈની હત્યા કરી હોવાની માહિતી મળતાં ગામનાં લોકો ચકિત થઈ ગયાં છે.

રાત્રે નિંદ્નાધીન મોટાભાઈને માથામાં પાવડાનાં ધા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ધટના એવી છે કે, ગતરાતે મૃતક રતુભાઈ, ભરતભાઈ તેમજ ભરતભાઈનાં પત્ની ગીતાબેન અને તેનો પુત્ર ધરે હતાં.

ભરતે પોતાનાં મોટાભાઈ અને તેની પત્ની ગીતાબેનને આડો સંબંધ છે તેવો વહેમ કરીને ઝધડો કયોઁ હતો. ત્યારે મોટાભાઈ રાત્રે સૂઈ જતાં માથાનાં ભાગે ઉપરાછાપરી પાવડાનાં ધા મારીને તેમની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

પોલીસ ધટના સ્થળે પહોંચી હતી. મૃતકની લાશને હોસ્પિટલમાં પીએમ અથઁ ખસેડવામાં આવી હતી. સગા મોટાભાઈની હત્યા કરનાર મૂકબધિર હત્યારા ભાઈ ભરત દેવીપૂજકને પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી જેલનાં સળિયાં ગણતો કરી દીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.