નદીમાં ડુબી જવાથી સુરતનાં એક જ પરિવારનાં ૦૫ સભ્યો ડુબ્યાં. હજુ શોધખોળ ચાલુ.

મહુવા તાલુકાના કુમકોતર ખાતે અંબિકા નદી કિનારે જંગલમાં દરગાહનાં દશઁન કરી સુરતનો મુસ્લિમ સમુદાય દશઁન કરી આવી રહ્યાં હતાં.

દશઁન કરી પરત ફરતાં પરિવારનાં સભ્યો અંબિકા નદીમાં ન્હાવા પડયાં એક પછી એક પરિવારનાં સભ્યો પાણીમાં ડુબવા લાગ્યાં. બારડોલી ફાયર વિભાગે સ્થળ પર પહોંચી લાશોની શોધખોળ દરમિયાન મોડી સાંજે સાત વાગ્યા સુધીમાં બેની લાશ મળતી હતી.બાકી નાં ત્રણની હજુ શોધખોળ ચાલુ છે.

અંબિકા નદીમાં ઉડાં પાણીમાં લાશોની શોધખોળ દરમિયાન રુક્ષાનાબી સલીમશા ફકીર તથા પરવીનબી જાવિદશા ફકીરનો મૃતદેહ મળી આવ્યો છે. જયારે બીજા ત્રણ મૃતદેહ સાંજે મળ્યો હતો. અન્ય લોકોની શોધખોળ ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.