નવસારીનાં વાસંદામાં સામુહિક આપધાત.. એક જ ઝાડ પર લટકીને ટૂંકાવ્યું જીવન.

મળતી માહિતી મુજબ, મોળા આંબા ગામમાં ધોટાળ પરિવારનાં મોભી પોતાની પત્ની અને પુત્ર યોગેશ સાથે રહીને ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. ધોટાળ પરીવારના ૦૩ સભ્યોએ એક જ ઝાડ પર ગળે ફાંસો ખાઈ લેતાં ગામનાં લોકો સ્તબ્ધ બની ગયાં છે.

આ ધટનાની જાણ થતાં વાંસદા પોલીસ સ્ટેશનનો કાફલો ધટના સ્થળે પહોંચી ગયો હતો. તપાસ હાથ ધરી હતી. પોલીસને તપાસમાં સામે આવ્યું છે કે ,પરિવાર નાં એકનાં એક પુત્ર એ બીમારીથી કંટાળી ને આપધાત કરી દીધો હતો.

મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.