અરે બાપ રે.. દારુના કેસમાં જવાનનાં પિતાને બેરહમીપુવઁક ફટકાર્યોનો આક્ષેપ..

દારુના કેસમાં પકડાયેલા ચોકીદારનું સોમવારે મોતને ભેટતાં પોલીસ દોડતી થઈ હતી. વરાછા પોલિસે બેરહમીપુવઁક ફટકાર્યોનો આક્ષેપ કર્યો છે. પરિવારે મૃતદેહ સ્વિકારવાનો ઈન્કાર કરતાં દોડધામ મચી હતી.

શિવસિંગને ગંભીર હાલતમાં પ્રથમ સ્મીમેર અને પછી સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મારતાં હેમરેજ થવાથી શિવસિંગનું મોત થયાનો આક્ષેપ પરિવારે કયાઁ હતો.આ કેસમાં ભત્રીજાએ ત્રણ દિવસ પહેલાં ઉંડાણપૂવઁક તપાસ કરવા માટે લેખિત ફરિયાદ કરી છે.

આમીઁમાં ફરજ બજાવતાં મૃતક શિવસીંગનાં પુત્ર અંકુશે એક વિડીયો વાઈરલ કરી તેના પિતાનાં મોત માટે જવાબદાર પોલીસ કમીઁઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. તેણે પણ પિતાના મૃત્યુને લઈને પોલીસ પર આક્ષેપ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.