લો કરી લો વાત.. અદાણીએ જયારથી એરપોર્ટ પોતાનાં હસ્તગત કર્યા પછી વિવાદ…

અમદાવાદનું એરપોર્ટ અદાણી ગ્રુપ દ્નારા હસ્તગત કરવામાં આવ્યું છે. ત્યારથી સતત વિવાદમાં સપડાયું છે. પેસેન્જર ફેસેલિટીનાં નામે હજુ એરપોર્ટ પર કોઈ સુવિધા આપવામાં આવતી નથી. સુવિધાના મામલે એકબીજા પર ખો આપે છે. અદાણી ગ્રુપનાં મેનેજમેન્ટનો સપંકઁ કરવામાં આવે તો કહે છે કે અમારા હાથમાં કયાં નથી.

જયારે એરપોર્ટ ઓથોરિટી પણ એવું કહીને હાથ ઉંચા કરી દે છે. અમારા હાથમાં મેનેજમેન્ટ નથી. બધું અદાણી ગ્રુપ દ્નારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. જૂની સમસ્યાઓનું નિરાકરણ હજુ આવતું નથી. મુંબઈ એરપોર્ટના વિવાદ પછી ઉચ્ચ કક્ષાએ બનાવવામાંઆવેલી કમિટીએ એવો નિર્ણય કર્યો છે કે, એરપોર્ટ ભાડાપટ્ટ આપવામાં આવ્યું છે, વેચાણ કરી દેવામાં આવ્યું નથી.

અમદાવાદનું એરપોર્ટ હસ્તગત કરાયા પછી ડેવલોપમેન્ટ ની તો વાત તો દૂર રહી પણ પાકિઁગ ચાજીઁસનો વિવાદ ચાલુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.