અભ્યાસ કરતાં, એકનાં એક પુત્રે આપધાત કરી લેતાં પરિવારમાં શોક…

રાજકોટનાં માધાપર ગામ પાસે આવેલ આજી ડેમ -૨ માં યુવાન અને લાશ મળી હતી. પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.

મૃતક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમેસ્ટ્રી પીએચડી કરતો હોવાનું સામે આવ્યું છે. એક દીકરો હોવાથી પરિવાર આધાતમાં ગરકાવ છે. મૃતક પાસેથી એક આઈકાડઁ મળી આવ્યું હતું. જેમાં એરપોર્ટ રોડ ઉપર આવેલ રાજકૃતિ એપાટઁમેન્ટમાં રહેતાં આદિત્ય પ્રકાશભાઈ રાવલ હોવાનું જાણવા મળ્યું હતું.

આદિત્ય ભણવામાં હોશિયાર હતો તેને સ્કોલરશિપ પણ મળી હતી. પોતે ક્રિકેટ નો શોખીન પણ હતો. આપધાત જેવી કોઈ સમસ્યા ન હોવા છતાં પગલું શા માટે ભર્યુ તે જાણવા પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.