સુવિધાનો અભાવ… હવે ફરજિયાત 6 મહિને કેદીઓનાં આ 2 ટેસ્ટ કરવાનાં રહેશે..

ગુજરાતની જેલોમાં સ્વાસ્થ્ય સુવિધાઓ સુધારવા અને છ મહિને કેદીઓને ટી.બી. અને એચ.આઈ.વી.ના ટેસ્ટ કરવા રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે રાજય સરકાર અને આઈ. જી ને નિદેઁશ આપ્યો છે.

સુરતમાં થોડા સમય પહેલાં ૨૧ વષીઁય કેદીનું ટી.બી.ના કારણે અવસાન થયું હતું. આ યુવક ૨૭-૪-૨૦૧૯ જેલમાં આવ્યો ત્યારે સંપૂર્ણ તંદુરસ્ત હતો. પરંતુ ટી.બી.ના કારણે ૧૫-૭-૨૦૨૦નાં રોજ તેનું મૃત્યુ થયું. આ ઉપરાંત જેલમાંથી હાથ ધરવામાં આવેલી મેજિસ્ટ્રિયલ તપાસમાં પણ બહાર આવ્યું હતું.

ત્યાર બાદ માનવ અધિકાર પંચની ટીમે પણ જેલની મુલાકાત લીધી હતી. જેથી હવે પંચે દર છ મહિને દરેક કેદીઓના ટી.બી. અને એચ.આઈ.વી ટેસ્ટ કરવા નિર્દેશ આપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.