રાજકોટમાં બિલ્ડીંગ રિનોવેશન દરમ્યાન દિવાલ પડતાં બે શ્રમિકોનાં મોત અને…

રાજકોટ થી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. રાજકોટમાં દિવાલ પડતા બે શ્રમિકોના મોત અને એક ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. રાજકોટ નાનામવા રોડ ઉપર આવેલા જીવરાજ પાર્ક માં મહાદેવના મંદિર પાસે બિલ્ડીંગ નું રીનોવેશન કામ ચાલતું હતું.

તે સમયે ત્યાં અચાનક જ દીવાલ પડતાં કામ કરી રહેલા શિવાનંદ અને રાજુ ખુશાલભાઈ સાગઠીયા નું મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત સુરેશકુમાર ને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.