શું તમે જાણો છો કે કોરોનાકાળમાં ગુજરાતમાં કેટલાં બાળકોને અનાથ કર્યા.. જવાબ રજુ થયો..

ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસા સત્રમાં કાર્યવાહીના બીજા દિવસે એટલે કે આજે આ મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો કોંગ્રેસે ગૃહમાં હલ્લાબોલ મચાવ્યો હતો. તો એ સમય દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ ગ્રુપ છોડીને બહાર નીકળી ગયા હતા કોંગ્રેસે “શ્રીરામ જય.રામ જય.રામ ભાજપ કો સદબુદ્ધિ દેવ ભગવાન” ની ધૂન ગૃહમાં શરૂ કરી હતી.

જો કે આ સત્ર દરમ્યાન પ્રશ્રોતરી કાળમાં વિપક્ષ દ્વારા અનેક મુદ્દાઓને લઈને સરકારને ધેરવામાં આવી. જેમાં કોરોના, TET, રેમડેસિવિરથી લઈને કોરોના વેકિસનેશન જેવાં અનેક મુદ્દાઓ પર પ્રશ્રોતરી કરવામાં આવી.

મહત્ત્વનું છે કે,રાજયમાં કોરોનાકાળ દરમ્યાન અનાથ થયેલ બાળકોની સામે આવી છે. કોરોનાનાં કારણે માતા અને પિતા બંને ગુમાવનાર બાળકોની સંખ્યા કુલ ૨૧૧ છે. જયારે માતા અથવા પિતા બંનેમાંથી એક વાલી ગુમાવનારા બાળકોની સંખ્યા ૧૦ હજાર ૮૨૭ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.