મોરબીનાં સિરામિક ઉદ્યોગે ૫૦૦ કરોડનાં ૨૫ ટકા રકમ તો ભરવી જ પડશે.. જાણો શું છે મામલો..

મોરબી સિરામિક ઉદ્યોગમાં મંદીની સ્થિતિ વચ્ચે હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. મોરબી ઉધોગકારોને કોલગેસ ચલાવવા મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનાં આદેશ અન્વયે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્નારા ફટકારેલ રુપિયા ૫૦૦ કરોડનાં દંડ પ્રકરણની સુનાવણી પૂર્વ હાઈકોર્ટે દંડની ૨૫% રકમ ભરી આપવા ઓર્ડર કરતાં સિરામિક ઉદ્યોગપતિઓની રાડ ફાટી ગઈ છે.

હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં જંગ લડવા તૈયારી શરુ કરી છે. મોરબી સિરામિક એકમો ઈંધણ માટે કોલગેસ પ્લાન્ટ લગાવ્યાં હતાં. કોલગેસ પ્લાન્ટથી પર્યાવરણને થતાં નુકસાન અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ ફરિયાદો થતાં એનજીટી દ્વારા કોલગેસ પ્લાન્ટ બંધ કરવા આદેશ આપી દંડ ફટકારવામાજ આદેશ કરતાં ૫૦૦ કરોડ નો દંડ ફટકાર્યો હતો.

ઉધોગકારો દ્નારા આ કેસ આગળ ચલાવતાં પૂર્વ દંડની ૨૫% રકમ એટલે કે ૧૨૫ કરોડ જમા કરાવવા આદેશ કરતાં મંદીનાં સમયમાં ઉધોગકારો આટલી રકમ જમા કરાવવા પ્રશ્ને વિમાસણમાં મૂકાઈ ગયાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.