રોજ જરુર કરતાં વધુ ગોળનું સેવન નથી કરતાને ? થઈ શકે છે નુકસાન ; જાણી લો ખાવાની સાચી રીત..

મોટાભાગના લોકો ગોળ ખાવાનું વધુ પસંદ કરે છે અને તે તેમના ડેઈલી ડાયેટનો એક ભાગ છે. ગોળ માં રહેલા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને તેનાથી તે તમને ઘણી રીતે ફાયદો થાય છે. પરંતુ નિષ્ણાતોના મતે ગોળ પણ ચોક્કસ માત્રામાં ખાવો જોઈએ નહીં. તો તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

ગોળમાં પૂરતા પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ, ઝીંક, વિટામીન બી ૧૨, બી ૬ ,ફોલેટ, પ્રોટીન હોય છે. તેનાથી તમને ઘણી રીતે ફાયદો થાય છે. પરંતુ જે લોકો રોજ ગોળ ખાય છે. તેમને નિયત માત્રામાં તેનું સેવન કરવું જોઈએ.

એક દિવસમાં આનાથી વધુ ન ખાઓ ગોળ..

તમે એક દિવસમાં ૫૦ થી ૬૦ ગ્રામ ગોળ ખાઈ શકો છો. જો એનિમિયાની સમસ્યા હોય તો ખાધા પછી ગોળ અને તેનાથી પણ ઓછી માત્રામાં ખાવ તેનાથી એનિમિયાની સમસ્યા દૂર થશે. તમારે આ લગભગ બે મહિના સુધી કરવું જોઈએ. હિમોગ્લોબીન વધારે છે. જો તમને બ્લડપ્રેશરની સમસ્યા હોય તો રોજ ગોળ ખાવાથી પણ તમને ફાયદો થશે.

જો તમે રાત્રે ગોળ ખાઓ છો..

જો તમે રાત્રે ભોજન કર્યા પછી ગોળ ખાઓ છો તો ૯ થી ૧૦ ગ્રામથી વધુ ન ખાઓ. ગોળમાં ફેટ નથી હોતું તેને ખાવાથી ડાયજેસ્ટિવ એન્ઝાઈમ એકટિવા થાય છે. તેનાથી કબજિયાતની સમસ્યા થતી નથી. જો તમને કબજિયાત , પેટમાં દુખાવો અને પાચન સંબંધિત સમસ્યાઓ હોય તો ગોળ ખાવાથી તમને ફાયદો થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.