જાણો આ મંદિરમાં વાળ આપવાની પરંપરા કેવી રીતે શરુ થઈ

તિરુપતિ બાલાજી મંદિર (TIRUPATI BALAJI TEMPLE) સાથે અનેક રહસ્યો જોડાયેલા છે. ત્યાં મહિલા પુરુષો (WOMEN MEN) દ્વારા વાળ આપવાની પરંપરા ખૂબ જ અનોખી છે. આ પરંપરા પાછળ પૌરાણિક કારણ રહેલું છે.

આ મંદિરના દર્શન કરવા માટે દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો આવે છે. જો કે કોરોનાના કારણે મંદિરમાં અનેક પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. આ મંદિરને લઈને સૌથી ખાસ વાતએ છે કે અહીંયા ભક્તો પોતાના માથાના વાળનું દાન કરે છે. આવું લગભગ દુનિયામાં કોઈ મંદિરમાં નહીં થતું હોય.

કહેવાય છે કે , તિરુપતી બાલાજીમાં વ્યક્તિ પોતાના વાળનું દાન કરે છે અને ભગવાન તેને સો ગણો વધારે ધન આપે છે. અહીં વાળ દાન કરવા પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. ભગવાન વેંકટેશ્ચરના આ મંદિરમાં માત્ર પુરુષો જ નહીં પણ મહિલાઓ પણ પોતાના વાળનું દાન કરે છે. મહિલાઓ ધન પ્રાપ્તિ સિવાય પણ અન્ય માનતા રાખે તેમની માનતા પૂરી થતાં લાંબા વાળનું દાન કરે છે.

તિરુપતિ માં વાળ દાન કરવાથી મા લક્ષ્મીની કૃપા મેળવવા તેમજ તમામ મનોકામના પૂરી કરવા પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. પૂર્ણ કથા અનુસાર પ્રાચીન કાળમાં ભગવાન બાલાજીના વિગ્રહ પર કીડીઓનો પહાડ બન્યો હતો. તે પહાડ પર રોજ એક ગાય આવતી અને દૂધ આપીને જતી રહેતી હતી. જેનાથી ગાયનો માલિક નારાજ થઈ ગયા અને કુહાડીથી ગાયને મારી નાખી આ હુમલો દરમિયાન બાલાજીના માથા પર ઈજા પહોંચી સાથે જ તેમના માથાના વાળ પણ ખરી ગયા. ત્યારે તેમની માતાની નીલાદેવી એ પોતાના વાળ કાપીને બાલાજીના માથા ઉપર લગાવી દીધા. આવું કરતા જ ભગવાનના માથાની ઈજા એકદમ સરખી થઇ ગઇ હતી.

ક્યારે પ્રસન્ન થઈને ભગવાન નારાયણે કહ્યું કે શરીરની સુંદરતા ને વધારે છે અને તે મારા માટે તેનો ત્યાગ કરી દીધો. એટલા માટે આજથી જે પણ મારા માટે પોતાના વાળ નો ત્યાગ કરશે. તેમની દરેક મનોકામના પૂર્ણ થશે. ત્યારથી ભક્તો બાલાજી મંદિરમાં પોતાના વાળનું દાન કરે છે. આજે પણ તિરુપતિ બાલાજી મંદિર ની પાસે એક પહાડ અને નીલાદરી કહેવાય છે અને તેની પાસે જ નીલા દેવીનું મંદિર પણ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.