”હું હિંદુ છું પણ ખતરામાં નથી કારણ કે હું ભાજપનો નહીં પણ ભારતનો હિંદુ છું”જાણો કોણે આવું કહ્યું??

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ફરી એકવાર હિન્દુત્વના મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું છે. એક પછી એક ટ્વિટ કરીને તેમણે હિંદુ અને હિંદુત્વને લઈને ચાલી રહેલી ચર્ચા પર કમેન્ટ કરી છે. તેમણે કહ્યું છે કે તેઓ પણ હિંદુ છે પરંતુ તેઓ કોઈ જોખમમાં નથી.

સાવરકર મુદ્દે ભાજપ પર સતત પ્રહારો કરી રહેલા દિગ્વિજય સિંહે આ વખતે PM મોદી પર સીધું નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતાએ હિંદુથી લઈને મોદીના ચૂંટણી નારા પર ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે અને દિગ્વિજય સિંહે ટ્વીટ કરી કહ્યું- ‘હું પણ હિંદુ છું પણ ખતરામાં નથી કારણ કે હું ભાજપનો નહીં પણ ભારતનો હિંદુ છું’.

આ પછી, બીજા એક ટ્વિટમાં, તેમણે PM મોદીના 2014 ના ચૂંટણી નારા પર કટાક્ષ કર્યો અને કહ્યું કે હિન્દુ માટે હર હર મહાદેવ અને હિન્દુત્વ માટે હર હર મોદી છે અને દિગ્વિજય સિંહે કહ્યું- “દેશનું દુર્ભાગ્ય એ જ દિવસે શરૂ થઈ ગયુ હતું જ્યારે હર-હર-મહાદેવની જગ્યાએ હર-હર મોદીના નારા લગાવવામાં આવ્યા હતા. હિંદુ અને હિંદુત્વ વચ્ચેનો તફાવત હિન્દુ– હર હર મહાદેવ અને હિંદુત્વ – હર હર મોદી”.

અગાઉ પણ દિગ્વિજય સિંહે કહ્યું હતું કે હિંદુત્વનું હિંદુ ધર્મ સાથે કોઈ લેવાદેવા નથી. કોંગ્રેસના નેતાએ વીર સાવરકર વિશે કહ્યું હતું કે સાવરકરે તેમના પુસ્તકમાં કહ્યું હતું કે હિંદુ ધર્મને હિંદુત્વ સાથે કોઈ લેવાદેવા નથી અને તેઓ ક્યારેય ગાયને ‘માતા’ માનતા નહોતા અને ગાયનું માંસ ખાવામાં કોઈ સમસ્યા નહોતી.

દિગ્વિજય સિંહના આ નિવેદનો પર ભાજપે જોરદાર જવાબ આપી તેમની આકરી ટીકા કરી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.