નવસારીમાં હવામાન ખરાબ,25 ઘરના છાપરા ઉડ્યા,લોકોનું સ્થળાંતર પણ તંત્ર હજુ અજાણ

ગુજરાતમાં મહા વાવાઝોડાને કારણે વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે મહા એ તેની અસર દેખાડવાનું શરૂ કરી દીધુ છે. ગુજરાતમાં પવન સાથે વરસાદી વાવાઝોડાને કારણે ઘરના છાપરા ઉડયા છે. અને માછીમારોએ પોતાની વસાહતોમાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આ આખી ઘટમાં હજુ સુધી તંત્રએ કોઈ પગલા લીધા નથી હજુ પણ તંત્ર આ વાતથી અજાણ છે કોઈ મદદ તેમના સુધી પહોંચી નથી. 

બોરસી માછીવાડ ગામે 25 ઘરોના પતરા ઉડ્યા છે અને દરિયા કિનારે રહેતા લોકોનુ સ્થળાંતર કરવું પડી રહ્યુ છે. તંત્રએ આ અંગે હજુ સુધી કોઈ પગલા લીધા નથી. ખેડૂતો બાદ માછીમારોને હવે નુકસાની સહન કરવી પડી રહી છે તેમની સુકવણી કરેલી માછલીઓ પલળી ગઈ છે અને નુકસાની થઈ રહી છે.

સ્વખર્ચે શેડ ઉભા કરીને માછીમારો દરિયાથી દુર રહેવા મજબુર બન્યા છે. માછલી સુકવના બનાવેલા મંડપમાં પાણી ફરી વળ્યા છે. પાણી ફરી વળતા સૂકી માછલીઓને પણ નુકસાન પહોંચ્યુ છે. વહીવટીતંત્ર નુકસાની તેમજ સ્થળાંતરથી અજાણ રહી ગયુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.