ગુજરાતમાં આખુ પોલીસ સ્ટેશન ખાલી!, PI સહિત આખા સ્ટાફની બદલી પોલીસ બેડામાં સોપો….

સુરત કાપડ માર્કેટમાં છેતરપિંડીના બનાવો વધી જવા સાથે વિવિધ વેપારી સંગઠનોની ફરિયાદને પગલે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સલાબતપુરા પોલીસ મથકના પીઆઇ, 11 પીએસઆઇ અને 104 પોલીસ કર્મીઓની એકસાથે બદલી કરી દેતા ખળભળાટ મચ્યો છે અને પહેલીવાર એક પોલીસ મથકમાં ટોપ ટુ બોટમ એમ આખા સ્ટાફની બદલીની ઘટના બનવા પામી છે અને પોલીસ બેડામાં એવી પણ ચર્ચા છે કે, હાઈકોર્ટે યુવકોને માર મારવાના કેસમાં દંડ ફટકાર્યો તેની આ અસર છે.

સુરત શહેર પોલીસ કમિશનરે રવિવારે સાંજે સલાબતપુરા પોલીસ મથકના આખા સ્ટાફની બદલીનો હુકમ કરતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે અને બે વર્ષથી સલાબતપુરા પોલીસ મથકનો ચાર્જ સંભાળતા પીઆઇ એમ.વી.કીકાણી, 11 પીએસઆઇ તથા એએસઆઇ, પોકો, હેકો અને એલઆર મળી 104 પોલીસ કર્મીઓની એકસાથે બદલી કરી દીધી હતી. ટોપ ટુ બોટમ આ બદલીને લઇ ડિપાર્ટમેન્ટમાં તરેહતરેહની ચર્ચાએ વેગ પકડયો હતો.

ખુદ પોલીસ બેડામાં જ ચર્ચા છે કે, સલાબતપુરા પોલીસે સાત યુવકને ઢોર માર માર્યો હતો અને જે મામલે હાઈકોર્ટમાં ફરિયાદ થઈ હતી. કોર્ટમાં માત્ર એક પ્રતિવાદીને ત્રણ વાર મહેતલ અપાઈ છતાં જવાબ રજૂ કર્યો ન હતો, જેને પગલે કોર્ટે પોલીસ કમિશનર અને સલાબતપુરાના 4 પોલીસ કર્મીને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. જેને પગલે આ તવાઈ આવી હોવાની પોલીસ બેડામાં જ ચર્ચા ઉઠી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.