હવે પ્રાણીઓ નો વારો, કોરોના વેક્સિન અભિયાન ની તૈયારીઓ શરૂ થઈ આર્મી ના 23 કૂતરાઓને આપવામાં આવ્યો પ્રથમ ડોઝ

ગુજરાતના જૂનાગઢ સ્થિત સક્કરબાગ ઝુલોજિકલ પાર્કના 15 સિંહો ને કોરોના વેકશીન આપવા તૈયારી કરવામાં આવી રહી છે.અને હરિયાણાના હિસારમાં સ્થિત સેન્ટ્રલ ઇક્વિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ પ્રાણીઓ માટે દેશની પ્રથમ કોરોના રસી તૈયાર કરવામાં સફળતા મેળવી છે.કોરોના વેકશીન નું 23 આર્મી ડોગ્સ પર
કરવામાં આવેલ ટ્રાયલ સફળ રહ્યું છે. પ્રથમ રસીકરણના 21 દિવસ પછી કૂતરાઓમાં કોરોના વાયરસ (કોવિડ-19) સામે એન્ટિબોડીઝ જોવા મળી હતી.શ્વાન પરના સફળ ટ્રાયલ બાદ હવે ગુજરાતના જૂનાગઢના સક્કરબાગ ઝૂઓલોજિકલ પાર્કના 15 સિંહો પર ટ્રાયલ ચાલી રહી છે, જેને ગુજરાત સરકારની મંજૂરી મળ્યા બાદ શરૂ કરવામાં આવશે.

રસી બનાવનાર સંસ્થાના પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ ડો.નવીન કુમારે જણાવ્યું હતું કે, કૂતરા, બિલાડી, સિંહ, ચિત્તા, ચિત્તો, હરણ જેવા પ્રાણીઓમાં કોરોના વાયરસ (કોવિડ-19) જોવા મળ્યો છે અને થોડા મહિના પહેલા ચેન્નાઈના પ્રાણી સંગ્રહાલયમાં મૃત સિંહમાં કોવિડ-19 વાયરસની ઓળખ થઈ હતી. તપાસમાં જાણવા મળ્યું કે તેનું મૃત્યુ કોવિડના ડેલ્ટા વેરિઅન્ટથી થયું છે. આ કારણોસર, તેણે લેબમાં માનવોમાં આવેલા ડેલ્ટા વેરિઅન્ટ વાયરસને અલગ પાડ્યો અને તેનો ઉપયોગ કરીને રસી બનાવવામાં સફળતા મેળવી છે અને હવે પ્રાણીઓ ને પણ વેક્સિન આપી શકાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.