સુરતમા વધુ એક બસમાં આગ લાગી, હજીરામાં ભીષણ આગની જ્વાળાઓમાં લક્ઝરી બળીને ખાક થઈ ગઈ જાણો સમગ્ર વિગત….

સુરત વરાછામાં લક્ઝરી બસમાં લાગેલી આગની શાહી સૂકાઈ નથી ત્યાં હજીરામાં ખાનગી બસમાં આગ ફાટી નીકળી હતી. વધુ એક લક્ઝરી બસમાં આગની ઘટનાએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. હજીરાના મોરા ગામમાં ખાનગી બસમાં અચાનક આગ લાગી જતાં ભાગદોડ મચી ગઇ હતી અને જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બસ બળીને ખાક થઈ ગઈ હતી, જોકે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે પાર્ક કરેલી બસમાં આગ લાગી ગઈ હતી, જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક ઇન્ડસ્ટ્રીના ફાયર અને સુરત ફાયર ઘટનાસ્થળે દોડી આવતાં ગણતરીના કલાકોમાં આગ કાબૂમાં આવી ગઈ હતી.અને જોકે કોઈ જાનહાનિ ન નોંધાતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સંપત સુથાર (અડાજણ ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે કોલ લગભગ રાત્રે 11:20નો હતો. બસમાં આગ લાગી હોવાની માહિતી મળતાં તાત્કાલિક ઘટનાસ્થળે જવા નીકળી ગયા હતા. 28 મિનિટમાં પહોંચ્યા બાદ મેદાનમાં પાર્ક બસ ભડ ભડ સળગી રહી હતી અને પાણીનો મારો ચલાવી બસની આગને કાબૂમાં લીધી હતી. જોકે આગ કયા કારણે લાગી એ જાણી શકાયું નહોતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.