મહુવાના ફેસબુક મિત્રએ સુરતની વિધવાને ભોગવી ‘મારે સગાઈ થઈ ગઈ છે’ કહી તરછોડી જાણો સમગ્ર વિગત…..

સુરત સરથાણામાં રહેતી વિધવાને લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજારી મહુવામાં રહેતા યુવકે વિધવાને કહ્યું કે, મારી સગાઇ થઇ ગઇ છે અને મારે ગામમાં કોમવાદની મેટર હતી તેનું સમાધાન થઇ ગયું છે, તું હવે લગ્નની વાત ભૂલી જજે’ આ બનાવ અંગે સરથાણા પોલીસ મથકે યુવકની સામે ગુનો નોંધાયો હતો

પ્રાપ્ત વિગતો મુજબ મહુવામાં હનુમંત હોસ્પિટલ રોડ પર સ્વામીનારાયણ ગુરૂકુલની બાજુમાં રહેતો શ્યામ પીઠાભાઇ ગીયડ (ગઢવી)ની મુલાકાત સરથાણામાં રહેતી વિધવાની સાથે ફેસબુક ઉપર થઇ હતી અને આ મહિલાના પતિનું પાંચ વર્ષ પહેલા જ આકસ્મિક મોત થયું હતુ અને ત્યારબાદ તે પોતાની પુત્રી અને બહેનપણી સાથે સરથાણા વિસ્તારમાં રહેતી હતી. શ્યામ ગઢવી વિધવા સાથે મિત્રતા કરીને મળવા માટે સુરત આવ્યો હતો અને ત્યારબાદ શ્યામ વિધવાને લગ્ન કરવાનું વચન આપીને તેના જ ઘરે રહેવા લાગ્યો હતો. શ્યામે વિધવાને તેનો આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ એક ફોટો લગ્નના રજીસ્ટ્રેશન માટે આપ્યો હતો. વિધવાને લગ્નની લાલચ આપીને તેની સાથે બળાત્કાર પણ ગુજારાયો હતો.

આ દરમિયાન શ્યામનો ભાઇ રામ ગઢવી અને તેનો મિત્ર ભારતગીરી ગૌસ્વામી સુરત આવ્યા હતા અને વિધવા તેમજ શ્યામ ગઢવીની સાથે જ રહેવા લાગ્યા હતા અને આ બંનેએ વિધવાને કહ્યું કે, તમે જે લગ્ન કરવાના છો તેમાં સાક્ષી તરીકે અમે સહી કરવાના છીએ. શ્યામ અને વિધવા બંને લગ્ન કરવા માટે ગયા ત્યારે શ્યામએ વિધવાને કહ્યું કે, મારી ગામમાં સગાઇ થઇ ગઇ હતી, અને કોમવાદની મેટર ચાલતી હતી, પરંતુ મારા ભાઇએ તેમાં સમાધાન કરાવી લીધું છે અને એટલે હવે મારે તારી સાથે લગ્ન નથી કરવા. તું લગ્નની વાત ભુલી જજે’. શ્યામ વિધવાને તરછોડી જતો રહ્યો હતો. બનાવ અંગે વિધવાએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.