રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદી અને પુતિન વચ્ચે જાણો શુ વાત થઈ…??

યુદ્ધના કારણે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે. 25 મિનિટની વાતચીતમાં પીએમ મોદીએ સૌથી વધુ ભારપૂર્વક કહ્યું કે યુદ્ધમાંથી કોઈ ઉકેલ આવવાનો નથી. પીએમ મોદીના કહેવા પ્રમાણે, જો રશિયાનો નાટો દેશો સાથે વિવાદ છે તો તે પણ વાતચીત દ્વારા જ ઉકેલવો જોઈએ. વાતચીતમાં પીએમ મોદીએ યુક્રેનમાં ફસાયેલા ભારતીયો અંગે પણ વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ત્યાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા ભારત સરકાર માટે અત્યંત મહત્વની છે.અને વાતચીતના અંતે, બંને નેતાઓ સંમત થયા હતા કે દરેક મુદ્દા પર વધુ ચર્ચા કરવામાં આવશે અને રાજદ્વારી ચેનલને મજબૂત કરવા માટે કામ કરવામાં આવશે.

રાષ્ટ્રપતિ પુતિને વડા પ્રધાન મોદીને યુક્રેનને લગતી તાજેતરની ઘટનાઓ વિશે માહિતી આપી હતી.અને વડા પ્રધાને તેમના લાંબા સમયથી ચાલતા વિશ્વાસને પુનરાવર્તિત કર્યો હતો કે રશિયા અને નાટો જૂથ વચ્ચેના મતભેદો માત્ર પ્રામાણિક વાતચીત દ્વારા જ ઉકેલી શકાય છે.

વડા પ્રધાને હિંસાનો તાત્કાલિક અંત લાવવા હાકલ કરી હતી અને તમામ પક્ષોને રાજદ્વારી સંવાદના માર્ગ પર પાછા ફરવા માટે નક્કર પ્રયાસો કરવા હાકલ કરી હતી.

વડા પ્રધાને યુક્રેનમાં ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગેની ભારતની ચિંતાઓ વિશે પણ રશિયન પ્રમુખને જાણ કરી હતી અને જણાવ્યું હતું કે ભારત તેમના સુરક્ષિત બહાર નીકળવા અને ભારતમાં પાછા ફરવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.

યૂક્રેન સંકટ પર વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરી છે. પીએમ મોદીએ ભારતીયોને સુરક્ષીત લાવવા પર ભાર મૂક્યો. આ પ્રેસમાં તેમણે કહ્યું કે, યૂક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે હરસંભવ પ્રયાસ કરવામાં આવ્યા છે. પોલેન્ડના માર્ગેથી ભારતીયને પરત લાવવામાં આવશે. ભારતીય દૂતાવાસે ત્રણ એડવાયઝરી જારી કરી છે. તેમણે કહ્યું કે, ત્યાંની સ્થિતિ વધુ ગંભીર છે. દૂતાવાસે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યા છે. પોલેન્ડ યૂક્રેન સીમા પર કેમ્પ બનાવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં 4000 ભારતીય નાગરિકો યુક્રેન છોડી ચૂક્યા છે. દિલ્હીમાં MEA કંટ્રોલ રૂમને 980 કોલ્સ અને 850 ઈમેલ મળ્યા છે.અને તો બીજી તરફ થોડીવારમાં પીએમ મોદી રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરશે.

પીએમએ યોજેલી બેઠકમાં યુક્રેનમાંથી ભારતીય નાગરિકોની સુરક્ષિત પરત ફરવાના વૈકલ્પિક માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ સચિવ હર્ષ વી. શૃંગલાએ બેઠક બાદ જણાવ્યું કે ભારતીય નાગરિકોને પોલેન્ડ થઈને ભારત લાવવામાં આવશે. આ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર પોલેન્ડ, રોમાનિયા, સ્લોવાક રિપબ્લિક અને હંગેરીના વિદેશ મંત્રીઓ સાથે વાતચીત કરશે. અને ભારત સરકારે યુક્રેનની તમામ યુનિવર્સિટીઓને ભારતીય વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન વર્ગો ચલાવવા વિનંતી કરી છે.

રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ ભારતનું ધર્મસંકટ વધી ગયું છે. પીએમ નરેન્દ્ર મોદી આ યુદ્ધ બાદ ઉભી થયેલી નવી પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે એક મોટી બેઠક (CCS) યોજવાના છે. તો બીજી તરફ આજે રાત્રે આ પરિસ્થિતિ અંગે પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ સાથે ફોન પર વાતચીત કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.