ગુજરાતમા ભાજપના ધારાસભ્યો છે કોંગ્રેસના સંપર્કમાં? જાણો કોણે આપ્યું આ નિવેદન

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકારણ તેજ થઇ રહ્યું છે.અને એક બાજુ નરેશ પટેલની રાજકારણમાં જોડાવાની વાતોએ જોર પજાડ્યું છે, તો બીજી બાજુ પક્ષપલટાની ચર્ચાઓ પણ થઇ રહી છે. થોડા દિવસ પહેલા રાજસ્થાનના અપક્ષ ધારાસભ્યએ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના ‘રડાર’માં હોવાનો ધડાકો કર્યો હતો, તો હવે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાએ પણ આ અંગે નિવેદન આપ્યું છે.

વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ દાવો કર્યો કે છે કે પહેલા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને આ સાથે જ ભાજપમાં જેમને ટિકિટ નથી મળવાની અને એ ભાજપના ધારાસભ્યો પણ અમારા સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે ભાજપે કહ્યું હતું કે કેટલાક ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.

થોડા દિવસ પહેલા રાજસ્થાનના અપક્ષ ધારાસભ્ય સંયમ લોઢાએ દાવો કર્યો હતો કે ગુજરાતમાં કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યો પર ભાજપની નજર છે અને એક ટ્વીટમાં સંયમ લોઢાએ લખ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, કોંગ્રેસના 10 ધારાસભ્યો પર ભાજપની નજર છે, સ્વસ્થ રહો અને સતર્ક રહો. આ સાથે જ આ ટ્વીટમાં સંયમ લોઢાએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ગુજરાત કોંગ્રેસ તેમજ કોંગ્રેસના સત્તાવાર ટ્વીટર હેન્ડલને ટેગ કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.