જાણો માટીના વાસણમાં પાણી પીવાથી સ્વાસ્થ્યમાં થશે ચમત્કારીક ફાયદા

ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અને આગ લગાડતી ગરમીમાં લૂથી બચવા બને તેટલું વધુ પાણી પીવું જરુરી હોય છે. અને એવામાં ઘણા લોકો ગરમીથી રાહત મેળવવા ફ્રીઝનું ઠંડુ પાણી પીતા હોય છે. પરંતુ આ યોગ્ય નથી. તે થોડીવાર માટે શરીરને સારુ લાગે છે પરંતુ બાદમાં નુકસાન કરે છે. આપણા ગામડામાં ઘણીવાર જોવા મળે છે કે ઉનાળામાં માટીના વાસણોમાં પાણીનો સંગ્રહ થતો હતો,અને ત્યાંના લોકો આ પાણી પીતા હતા. આ વાસણમાં પાણી કુદરતી રીતે ઠંડુ હોવાથી લાંબા સમય સુધી ઠંડુ રહે છે. પરંતુ હવે લોકોના ઘરોમાં રેફ્રિજરેટર જોવા મળે છે અને વાસણોનો ઉપયોગ ઓછો થયો છે.

વાસણનું પાણી પીવાની આ વર્ષો જૂની પ્રથા માત્ર સ્ટીલ અને પ્લાસ્ટિકના કન્ટેનરનો વિકલ્પ નથી, પરંતુ તેના સ્વાસ્થ્ય લાભો પણ છે.અને આ જ કારણ છે કે આજે પણ ઘણા ઘરોમાં માટીના વાસણમાં રાખેલ પાણી પીવામાં આવે છે, કારણ કે તેના ઘણા તબીબી ફાયદા પણ છે. તો ચાલો જાણીએ તેના ફાયદા વિશે.

માટલું પાણીને કુદરતી રીતે ઠંડુ રાખે છે અને તાપમાનને ર ડિગ્રી સુધી ઓછુ કરી દે છે જેનાથી રેફ્રિજરેટરની જરૂરિયાત ઓછી થઈ જાય છે. તેથી તે ગળામાં કોમળ અને પર્યાવરણને અનુકૂળ પણ છે. અને સંવેદનશીલ ગળાવાળા લોકો માટે તે શ્રેષ્ઠ ઓપ્શન છે જેઓ વારંવાર શરદી અને ઉધરસથી પીડાય છે.

માટીના વાસણમાંથી પાણી પીવાથી સનસ્ટ્રોક સામે લડવામાં મદદ મળે છે કારણ કે માટીના વાસણ પાણીમાં ભરપૂર મિનરલ્સ અને પોષક તત્વોને જાળવી રાખે છે અને ઝડપથી ડિહાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.અને તો જેમને ઉનાળામાં લૂ વધારે લાગતી હોય તેમણે ઘડાનું પાણી પીવુ જોઈએ.

માટલાનું પાણી વૃદ્ધત્વને અટકાવે છે, કેન્સર જેવા ક્રોનિક રોગોને રોકે છે, ડિહાઇડ્રેશન અટકાવે છે,અને પાચનશક્તિ વધારે છે વગેરે. તે એસિડિટીને નિયંત્રિત કરવા માટે સારો ઓપ્શન છે. માટલાના પાણીમાં કુદરતી રીતે એલ્કલાઇન હોય છે, માટીના વાસણ પાણીની એસિડિક પ્રકૃતિને ઘટાડે છે અને PH ને સંતુલિત કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.