અમદાવાદમા સ્નેહમિલન કાર્યક્રમમાં પથ્થરમારો,ભાજપી MLAની કારનો કાચ તૂટ્યો

અમદાવાદ : થોડા દિવસો પહેલા એનસીપી (NCP)ની મહિલા કાર્યકરને માર મારીને ચર્ચામાં આવેલા નરોડાના બીજેપીના ધારાસભ્ય બલરામ થાવાણી (BJP MLA Balram Thawani) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જોકે, આ વખતે તેમણે કોઈ વિવાદ નથી કર્યો પરંતુ આ ઘટનામાં તેઓ પોતે પીડિત છે. શહેરના મેઘાણીનગરમાં દિવાળી (Diwali 2019) નિમિત્તે એક સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય બલરામ થાવાણી સહિત અનેક લોકો હાજર હતા. આ કાર્યક્રમમાં એક શખ્સે પથ્થરમારો કર્યો હતો. જેમાંથી એક-બે પથ્થર ધારાસભ્ય બલરામ થાવાણીની કાર પર પડ્યાં હતા. જે બાદમાં કારનો કાચ તૂટી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર નવા નરોડા (Naroda)માં રહેતા દાનસિંઘ સિકરવાર ટ્રાવેલ્સનો ધંધો કરે છે. ગઈકાલે મેઘાણીનગરમાં વિદ્યાનગર પોલીસ ચોકીની બાજુમાં આવેલા એક પ્લોટમાં સર્વોદય સેવા સમિતિના મેમ્બર શિવદત શર્માએ સમાજનો સંમેલન કાર્યક્રમ રાખ્યો હતો.

આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, ધારાસભ્ય બલરામ થાવાણી તથા અન્ય કાઉન્સિલરો પણ હાજર હતા. એકબીજાને મળવાનો કાર્યક્રમ ચાલુ હતો ત્યારે અચાનક જ દૂરથી એક અજાણ્યા શખ્સે પથ્થરમારો કર્યો હતો. જેમાંથી એક પથ્થર બલરામ થાવાણીની કાર પર પડતા કારનો કાચ તૂટી ગયો હતો. બીજો એક પથ્થર દાનસિંઘને વાગ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.