કબીરની પ્રીતિનું બોલિવૂડ સ્ટાર સાથે થયુ બ્રેક-અપ જાણો આ છે કારણ…

બોલિવુડ સ્ટાર્સ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને લોકો ખૂબ પ્રેમ આપે છે અને બન્નેની જોડી ફેન્સની ફેવરેટ છે. આ બન્નેના ફેન્સ માટે એક સેડ ન્યૂઝ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બન્નેની વચ્ચે બધુ જ બરાબર નથી બન્નેના રસ્તા અલગ થઈ ગયા છે. કપલે એક બીજાને મળવાનું પણ બંધ કરી દીધુ છે અને બન્નેની વચ્ચે હવે પહેલા જેવો પ્રેમ નથી રહ્યો. હવે તેના પાછળનું કારણ શું છે અને તેના વિશે કોઈ જાણકારી સામે નથી આવી. પરંતુ તેમનું બ્રેકઅપ થઈ ગયું છે.

સિદ્ધાર્થ અને કિયારાએ ક્યારેય પોતાના રિલેશનને લઈને ઓફિશિયલ કંઈ નથી કહ્યું અને બન્ને એક બીજાને સારા મિત્રો જણાવતા હતા અને હવે રિપોર્ટ્સ સામે આવ્યા છે કે કપલનું બ્રેકઅપ થઈ ગયું છે.

સિદ્ધાર્થ અને કિયારાના બ્રેકઅપથી તેમના ફેન્સ ખૂબ જ દુખી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, “સિદ્ધાર્થ અને કિયારા એક બીજા સાથે શાનદાર બોન્ડિંગ શેર કરતા હતા અને એવી પણ ખબર વચ્ચે આવી હતી કે બન્ને જલ્દી જ લગ્ન પણ કરી શકે છે. પરંતુ ખબર નહીં કઈ રીતે બન્નેની વચ્ચે મનભેદ આવી ગયો.”

સિદ્ધાર્થ અને કિયારા પહેલી વખત મોટા પડદા પર ફિલ્મ ‘શેરશાહ’માં સાથે આવ્યા હતા.અને ત્યારથી બન્નેની જોડી ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સિદ્ધાર્થના વર્કફ્રંટની વાત કરવામાં આવે તો તે ‘મિશન મજનૂ’, ‘યોદ્ધા’ અને ‘થેન્ક ગોડ’માં જોવા મળશે. ત્યાં જ કિયારા ‘ભૂલ ભુલૈયા 2’, ‘ગોવિંદા મેરા નામ’, ‘જુગ જુગ જીયો’, અને ‘આરસી 15’માં જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.