IPL-2022 CSKની સિઝનની છઠ્ઠી હાર, જાણો શુ કહ્યું જાડેજાએ…

IPLમાં સોમવારે રાત્રે રમાયેલી મેચમાં ચેન્નાઈને આ સીઝનની છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો હતો.અને પંજાબની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રને હરાવ્યું. હાર બાદ ચેન્નાઈના કેપ્ટન જાડેજાએ કહ્યું કે બેટિંગ દરમિયાન પાવરપ્લેમાં વધુ રન ના બનાવી શકવા અને બોલિંગ દરમિયાન છેલ્લી ઓવરમાં 10-15 રન વધુ લેવા દેવા એ તેમની હારનું કારણ હતું.

મેચ બાદ જાડેજાએ કહ્યું, ‘મને લાગે છે કે અમે મેચની શરૂઆત સારી બોલિંગથી કરી હતી. અમે નવો બોલ યોગ્ય જગ્યાએ ફેંક્યો. પરંતુ છેલ્લી 2-3 ઓવરમાં અમે વિરોધી ટીમને 10-15 રન વધુ બનાવવા દીધા.અને રાયડુએ ખૂબ સારી બેટિંગ કરી પરંતુ મેં કહ્યું તેમ જો અમે તેને 170-175 સુધી રોકવામાં સફળ થયા હોત તો મેચ અમારી તરફેણમાં હોત.

લક્ષ્યનો પીછો કરતી વખતે તમે ક્યાં ખોટા પડ્યા? આ સવાલના જવાબમાં જાડેજા કહે છે, ‘અમે પહેલી 6 ઓવરમાં સારી શરૂઆત કરી ન હતી. આ 6 ઓવરમાં અમે બોર્ડ પર વધુ રન બનાવી શક્યા ન હતા. અને અમારે આ મામલામાં સુધારો કરવાની જરૂર છે અને અમે આ કરીને મજબૂત રીતે પાછા આવીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.