આ નંબરથી કોલ આવે તો ભૂલથી પણ કૉલ રિસીવ ન કરતા, નહી તો..

જોજો ક્યાંક છેતરાઇ ન જતા. ફોન પર બેંકના કર્મચારી હોવાનું કહીને લાખો પડાવી લેતા શખ્સોથી સાવધાન થઇ જજો.કારણ કે હાલમાં આવા ફ્રોડ કોલની સંખ્યા વધી ગઇ છે.અને લોકોના ખાતામાંથી બારોબાર લાખો રુપિયા ડેબિટ થઇ જાય છે. ત્યારે દેશની સૌથી મોટી સરકારી બેંકે પોતાના ગ્રાહકોને એક ચેતવણી આપી છે. બેંક દ્વારા આપવામાં આવેલી આ ચેતવણી 45 કરોડ ગ્રાહકોને કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચાવવા માટે કરવામાં આવી છે. આ પહેલા પણ બેંક દ્વારા સમયાંતરે ગ્રાહકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. હવે બેંક વતી બે ફોન નંબર જાહેર કરીને કોલ રીસીવ ન કરવા માટે કહેવામાં આવ્યું છે.

SBI વતી બે નંબરોથી છેતરપિંડી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દિવસોમાં છેતરપિંડીની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને, બેંક દ્વારા ગ્રાહકોને કોઈપણ ફિશિંગ કૌભાંડથી બચાવવા માટે આ ચેતવણી આપવામાં આવી છે. બેંક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઘણા મામલાઓમાં ટ્વીટ, એસએમએસ અને ઈ-મેલ દ્વારા ફિશિંગ કૌભાંડોની માહિતી સામે આવી છે.અને કૉલ કરવા પર, આ લોકો SBI કર્મચારી હોવાનો ઢોંગ કરીને ગ્રાહક સાથે છેતરપિંડી કરે છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બે નંબરો જાહેર કર્યા છે. 8294710946 અને 7362951973. બેંક તરફથી કહેવામાં આવ્યું છે કે જો આ બે નંબર પરથી કોલ આવે છે તો રિસીવ કરવાની ભૂલ ન કરવી.

મહત્વનું છે કે આ બે નંબરો મામલે CID આસામે SBI દ્વારા ઉલ્લેખિત બંને નંબરો સાથે વાંધો ઉઠાવ્યો હતો. સીઆઈડી આસામે ટ્વિટ કરીને કહ્યું હતું કે, સ્ટેટ બેંકના ગ્રાહકોને બે નંબર 8294710946 અને 7362951973 પરથી કોલ આવી રહ્યા છે.અને આ નંબરો પરથી કોલ કરનાર ગ્રાહકને KYC અને મોબાઈલ પર મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરવાનું કહે છે.

બેંકે કહ્યું કે આ બંને નંબર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે કોઈપણ રીતે જોડાયેલા નથી.અને એસબીઆઈ વતી આસામ સીઆઈડીને રી-ટ્વીટ કરતી વખતે આ લખવામાં આવ્યું છે. ગ્રાહકના ટ્વીટના જવાબમાં સ્ટેટ બેંકે કહ્યું કે આઈટી સિક્યોરિટી આ બંને નંબરો સામે તાત્કાલિક કાર્યવાહી કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.