ગુજરાતમાં ધર્મપરિવર્તનનું કિસ્સો ફરી સામે આવ્યો,કચ્છના પશુપાલકને પત્ર લખી ધર્મપરિવર્તન માટે મોટી લાલચ અપાઈ

ગુજરાતમાં ધર્મ પરિવર્તનનું ભૂત ધૂણ્યું છે. ગરીબ લોકોને પોતાના ધર્મ તરફ આકર્ષવા લાલચ દ્વારા તેમનુ ધર્મ પરિવર્તન કરાવાયા છે અને ત્યારે આવી લાલચ આપીને ધર્મ પરિવર્તન માટે પ્રેરતો પત્ર કચ્છના મુઠિયારના પશુપાલકને મળ્યો છે અને ઉલ્લેખનીય છે કે, ગત 29મી એપ્રિલના રોજ કચ્છના મુઠીયારના એક પશુપાલક કરસનજી દેશરજી બારાચને એક પત્ર મળ્યો હતો. જેમાં નામ બદલવા સાથે ધર્મ પરિવર્તનની સલાહ આપતો અને હિમાયત કરતો પ્રલોભન આપવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ બાબતે પોલીસને લેખિત ફરિયાદ-અરજી અપાઇ હતી.

મહત્વનું છે કે, મુઠિયા૨ ગામના રહેવાસી અને વ્યવસાયે પશુપાલક કરશનજી દેશરજી બારાચ દ્વારા નલિયા પોલીસ ફરિયાદ અપાઇ હતી.અને કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા ટપાલથી મોક્લવામાં આવેલો આ પત્ર ગત તારીખ 29 એપ્રિલના રોજ મળ્યો હતો. જેમાં પ્રલોભન આપવાની વાત કરવા સાથે નામ બદલી નાંખવા અને ધર્મ પરિવર્તન કરવા માટે કોનો સંપર્ક કરવો તેની વિગતો લખાયેલી હતી. આ મામલે પશુપાલકે નલિયા પોલીસને લેખિતમાં જાણ કરી હતી. તેમજ આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.

ધર્મ પરિવર્તનની સલાહ પત્રમાં નામ બદલી નાખવા માટે કોને સંપર્ક કરવો તેવી વિગતો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.મહત્વનું છે કે રાજ્યમાં ગરીબ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં મોટાપાયે આ પ્રવૃત્તિઓ વધી રહી છે.અને જેનો વિવિધ સંગઠનો દ્વારા વિરોધ પણ ઉઠ્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવે છે. ગુજરાતમાં અનેક સમાજ આ મામલે હવે જાગૃત થઈને નિયમો બનાવી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.