મુસેવાલાનો PM રિપોર્ટમાં થયા ચોંકાવનારા ખુલાસા, 24 ગોળી શરીરની આરપાર નીકળી ગઈ….

પંજાબી ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુ મૂસેવાલાનું પોસ્ટમોર્ટમ પૂરૂં થઈ ગયું છે. સોમવારે રાત્રે પાંચ ડોક્ટરોની પેનલે મૂસેવાલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. જો કે હજુ સુધી પોલીસ સાથે રિપોર્ટ શેર કરવામાં આવ્યો નથી. પરંતુ સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યાધુનિક બંદૂકોમાંથી છોડવામાં આવેલી 24 ગોળીઓ મૂસેવાલાના શરીરમાંથી નીકળી હતી અને જ્યારે એક માથાના હાડકામાં ફસાઈ ગઈ હતી. હુમલાખોરોએ લગભગ 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

મનસા જિલ્લા હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ દરમિયાન મૂસેવાલાના શરીર પર બે ડઝન ગોળીઓના ઘા મળી આવ્યા હતા. રિપોર્ટ અનુસાર વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમનું મૃત્યુ થયું છે.અને આંતરિક અવયવોમાં ઇજાની પણ પુષ્ટિ થઇ છે.

એવું કહેવામાં આવ્યું હતું કે પોસ્ટમોર્ટમ પછી વિસેરાના નમૂનાઓ સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે તેમજ જોકે, હોસ્પિટલે પોસ્ટમોર્ટમના પરિણામો પોલીસ સાથે શેર કર્યા નથી.

મૃતક સિદ્ધુ મૂસેવાલાનો પરિવાર પોસ્ટમોર્ટમ ના કરાવવા પર અડગ હતો. પરિવારની માંગણી હતી કે હત્યાની તપાસ હાઈકોર્ટના જજના નેતૃત્વમાં થવી જોઈએ અને આ માટે NIA-CBIની મદદ લેવામાં આવે.

પરિવારના સભ્યોએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે જોખમની આશંકા હતી ત્યારે સુરક્ષા હટાવવાની યાદી કેમ જાહેર કરવામાં આવી? આ કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.તેમજ જોકે બાદમાં સમજાવટ અને ખાતરી બાદ પરિવારજનો મૃતકના પોસ્ટમોર્ટમ માટે સહમત થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.