મુસેવાલા હત્યા કેસ: પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનું આવ્યું સામે…..

સિદ્ધુ મુસેવાલા હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ એકથી વધુ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. મૂસેવાલા હત્યા કેસમાં હવે પાકિસ્તાનમાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી રવિન્દર સિંહ ઉર્ફે રિંડાનું નામ સામે આવ્યું છે. મૂસેવાલા મર્ડર કેસમાં પુણે પોલીસના હાથે ઝડપાયેલા મહાકાલે પૂછપરછ બાદ ઘણા ખુલાસા કર્યા છે.અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર મહાકાલે જણાવ્યું છે કે લોરેન્સ બિશ્નોઈ હરવિંદર સિંહ ઉર્ફે રિંડા માટે કામ કરે છે.

ISIના ઈશારે પંજાબને ટાર્ગેટ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આતંકવાદી રિંડાએ લોરેન્સ બિશ્નોઈને ISIની નાપાક યોજનાઓની જવાબદારી સોંપી છે અને મુસેવાલા હત્યા કેસમાં આ ખુલાસાની વચ્ચે ઈન્ટરપોલે ખાલિસ્તાની આતંકવાદી રિંડા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે.

આ કારણોસર, હવે ભારતીય સુરક્ષા એજન્સીઓને લાગે છે કે રિંડાએ ભારતમાં શીખ સમુદાયમાં ભાગલા પાડવા અને અસ્થિરતા લાવવા માટે પાકિસ્તાનની ISIના કહેવા પર જ લોરેન્સ બિશ્નોઈને આ કામ સોંપ્યું હોવું જોઈએ. સંતોષ જાધવનો પરિચય લોરેન્સ બિશ્નોઈએ મહાકાલ સાથે કરાવ્યો હતો અને મહાકાલ લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે કામ કરે છે. આ દરમિયાન ઇન્ટરપોલે રિંડા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જારી કરી છે. જો કે, આ રેડ કોર્નર નોટિસ પંજાબમાં ગુપ્તચર એજન્સીના હેડક્વાર્ટર પર હુમલા અને ડ્રોન ષડયંત્રના મામલાને કારણે ફટકારવામાં આવી છે.

ઈન્ટરપોલે ગુરુવારે મોડી સાંજે ભારતના 2 મોટા ગુનેગારો વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરી હતી. તેમાં ગેંગસ્ટરમાંથી આતંકવાદી બનેલા હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડા અને સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે એજન્સીએ ઇન્ટરપોલ હેડક્વાર્ટર લિયોનથી આ બે આરોપીઓ વિશે ઇન્ટરપોલને વિનંતી કરી હતી કે આ બંને ગુનેગારો ભારતમાં ઘણી મોટી ઘટનાઓમાં સામેલ છે અને આ સાથે તેમાંથી એક આતંકવાદી ગતિવિધિઓ સાથે પણ જોડાયેલો છે. તેથી આ બંને સામે ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ જારી કરવી જોઈએ.

ઇન્ટરપોલ હેડક્વાર્ટર દ્વારા બંને ગુનેગારોની તપાસ કર્યા બાદ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. આ રેડ કોર્નર નોટિસ જાહેર થયા બાદ હવે ઈન્ટરપોલના તમામ સભ્ય દેશોની પોલીસ અને સુરક્ષા એજન્સીઓને બંનેની ધરપકડ કરવાના અધિકાર મળી ગયા છે.અને તેમાંથી હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડા ગેંગસ્ટર હતો બાદમાં તે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIના સંપર્કમાં આવ્યા બાદ ખાલિસ્તાની આતંકવાદમાં જોડાયો હતો.

ભૂતકાળમાં પંજાબમાં કોર્ટમાં બોમ્બ બ્લાસ્ટ હોય કે મોટા હથિયારોની દાણચોરીનો મામલો હોય કે પછી પંજાબ પોલીસના સીઆઈડી હેડક્વાર્ટર પર હુમલો થયો હોય, આ તમામ વાયરો ક્યાંકને ક્યાંક જઈને રિંડા સાથે જોડાતા હતા. હરવિંદર સિંહને પાકિસ્તાનમાં છે અને જ્યાં બેસીને તે પોતાના સંપર્કો દ્વારા ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનું ષડયંત્ર રચે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.