બૉલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આજે બીજી પુણ્યતિથિ….

અભિનેતાનું 14 જૂન 2020 ના રોજ અવસાન થયું અને આજે તેમની બીજી પુણ્યતિથિ છે અને તેના ચાહકો તેને ખૂબ જ મિસ કરી રહ્યા છે. સુશાંતે તેની સફર બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે શરૂ કરી હતી. આ પછી તેણે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો અને પછી બોલિવૂડમાં પોતાની છાપ છોડી. તેની ફિલ્મો સિવાય સુશાંત સિંહ રાજપૂત ઘણીવાર તેના રિલેશનશિપ સ્ટેટસને કારણે ચર્ચામાં રહે છે. અભિનેતાએ તેની ફિલ્મી કારકિર્દી દરમિયાન ઘણી અભિનેત્રીઓને ડેટ કરી હતી. ચાલો આ યાદી પર એક નજર કરીએ…

સુશાંત અને અંકિતાએ ટીવી શો ‘પવિત્ર રિશ્તા’માં માનવ અને અર્ચનાની ભૂમિકા ભજવી હતી, જે આજે પણ દર્શકોમાં લોકપ્રિય છે. શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા અને બંને ડેટિંગ કરવા લાગ્યા.અને અંકિતા તેમજ સુશાંત ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા. પરંતુ બાદમાં બંને અલગ થઈ ગયા હતા. આજે અંકિતાએ વિકી જૈન સાથે લગ્ન કરી લીધા છે.

એવા અહેવાલ હતા કે સુશાંત અને ક્રિતી તેમની ફિલ્મ ‘રાબતા’ના શૂટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યા હતા. પરંતુ ટૂંક સમયમાં જ તેમના બ્રેકઅપના સમાચાર આવવા લાગ્યા અને ક્રિતી અનેક પ્રસંગોએ સુશાંતને યાદ કરે છે.

સુશાંત અને સારાએ ‘કેદારનાથ’ના શૂટિંગ દરમિયાન ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, બાદમાં બંને અલગ થઈ ગયા હતા અને સારાએ સુશાંત સાથે ડેબ્યુ કર્યું હતું અને હવે તે ધીમે ધીમે બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી રહી છે.

સુશાંત અને રિયાએ ક્યારેય તેમના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. પરંતુ અભિનેતાના અવસાન પછી ખબર પડી કે તે રિયાને ડેટ કરી રહ્યો હતો અને અભિનેત્રીએ પણ આ અંગે ખુલીને વાત કરી હતી અને સુશાંતના મૃત્યુ બાદ રિયાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.