ડૂંગળીનો ભાવ કિલોના રૂ.100ની પાર પાસવાને લીલા દૂકાળને જવાબદાર ગણાવ્યો

દેશમાં ચાલી રહેલી આર્થિક મંદી વચ્ચે ભોજનમાં જરૂરી મનાતી ડૂંગળીનો ભાવ આજે કિલો દીઠ રૂપિયા એક સો પર પહોંચ્યો હતો.જથ્થાબંધ વેપારીઓના કહેવા અનુસાર આગામી દિવસોમાં ડૂંગળીનો ભાવ રૂપિયા ૧૨૦ સુધી પહોંચી શકે છે. આમ રસાઇની રાણી મનાતી ડૂંગળીનો ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓના બજેટમાં મોટો કાપ કરવો પડયો હતો. વેપારીઓના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ડૂંગળી લોકોને વધારે રડાવશે. ડૂંગળીનો ભાવ આસમાને પહોંચતા કેન્દ્ર સરકારનો બચાવ કરતાં કેન્દ્રના ખાદ્ય અને ગ્રાહક બાબતોનાં મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું હતું કે આ વર્ષે ડૂગળીનો પાક ૪૦ ટકા ઓછો થયો હતો આ કારણસર ભાવ વધ્યા હતા.

પાટનગર દિલ્હીમાં મહિલાઓ શાક માર્કેટમાં જતા પણ ખચકાય છે. છેલ્લા દસ દિવસોમાં જ ડૂંગળીના ભાવમાં આશરે ૩૦૦ ટકાનો વધારો થયો હતો. અન્ય રાજ્યોમાં કિલો દીઠ ભાવ રૂપિયા ૯૦ પણ હોઇ શકે છે. સમાચાર અનુસાર મહારાષ્ટ્રના ડૂંગળીના સૌથી મોટા બજાર લાસગાંવમાં ભાવ કિલો દીઠ ૫૫થી ૫૦ ની વચ્ચે રહ્યો હતો. આ ભાવ છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ છે. જો કે ઓગસ્ટની શરૂઆતમાં એક કિલો ડૂંગળીનો ભાવ એક કિલોનો માત્ર ૧૩ રૂપિયો હતો.

ડૂંગળીના વધતા જતા ભાવ જોઇ કેન્દર સરકાર પણ એકશનમાં આવી ગઇ હતી અને એણે વિદેશોમાંથી ડૂંગળી મંગાવવા યોજના બનાવી હતી. ડૂંગળીના આયાત પછી ભાવમાં ઘટાડો થવાની શક્યતા હોઇ શકે છે, એમ એક અધિકારીએ કહ્યું હતું. ડૂગળીના ઓછા પાક માટે પાસવાને બે કારણો ગણાવ્યા હતા. એક તો ચોમાસાની મોડી શરૂઆત અને પછી કમોસમી વરસાદ જેમાં ઊભો પાક બગડી ગયો હતો. ઉપરાંત મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ડૂંગળીના પાકને નુકસાન થયો હોવાનું પણ એક કારણ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.