આધાર કાર્ડમાં થવાનો છે આ મોટો ફેરફાર, જાણો UIDAI બનાવ્યો છે ખાસ નિયમ…

વર્તમાન સમયમાં આધાર એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેમાં સરકારી કામથી લઈને બેન્કિંગ અથવા અન્ય જરૂરી કામો માટે આધાર હોવું અનિવાર્ય છે અને સાથે જ આધાર કાર્ડમાં આપવામાં આવેલી માહિતીને પૂરી રીતે અપડેટેડ હોવી, આપણા બધા માટે ખૂબ જ મહત્વની છે. Unique Identification Authority of India સમય-સમય પર આધારને લઈને બધી રીતના અપડેટ્સ આપે છે. હવે UIDAI એ આધાર સંબંધિત છેતરપિંડી રોકવા માટે એક પ્લાન લાવવાનો છે.

હવે UIDAIએ આધાર સાથે જન્મ અને મૃત્યુનો ડેટા જોડવાનો નિર્ણય લીધો છે જેથી આના અંતર્ગત હવે નવજાત શિશુને અસ્થાયી આધાર નંબર આપવામાં આવશે, પછી તેને બાયોમેટ્રિક ડેટાની સાથે અપગ્રેડ કરવામાં આવશે અને આટલું જ નહીં, મૃત્યુની નોંધણીના રેકોર્ડને પણ આધારની સાથે જોડવામાં આવશે, જેથી આ નંબરોનો દુરુપયોગને રોકી શકાય અને એટલે કે આધારમાં હવે દરેક વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધીના આંકડાઓને જોડવામાં આવશે.

UIDAI ના એક અધિકારીની તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, ‘જન્મની સાથે જ આધાર નંબરની ફાળવણી કરવાથી આ સુનિશ્ચિત થશે કે, બાળક અને પરિવારને સરકારી યોજનાઓનો લાભ મળી શકે, આનાથી કોઈ પણ સામાજિક સુરક્ષાના લાભથી વંચિત રહેશે નહીં, આવી જ રીતે મૃત્યુના ડેટાને આધાર સાથે જોડવાથી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાના દુરૂપયોગને રોકી શકાશે. હાલમાં એવા અનેક મામલાઓ સામે આવે છે અને જેમાં લાભાર્થીના મૃત્યુ પછી પણ તેના આધારનો ઉપયોગ થઇ રહ્યો છે, આ જ કારણે ટૂંક સમયમાં જ 2 પાયલટ પ્રોજેક્ટ શરૂ થશે.’

સમય-સમય પર UIDAI ગ્રાહકોના હિત માટે પ્લાન રજૂ કરતો રહે છે, હવે UIDAI એ ઝીરો આધારની ફાળવણી કરવાની પણ યોજના બનાવી રહ્યો છે, જેથી બનાવટી આધાર નંબર જનરેટ નહીં થશે અને એટલે કે, કોઈ પણ રીતની છેતરપિંડી થઇ શકશે નહીં, આ અંતર્ગત એક વ્યક્તિને એકથી વધુ આધાર નંબરની ફાળવણી કરી શકાશે નહીં. ઝીરો આધાર નંબર એવા લોકોને આપવામાં આવે છે, જેમની પાસે જન્મ, નિવાસ અથવા આવકનો કોઈ પુરાવો ન હોય અને આવા વ્યક્તિને આધાર ઇન્ટ્રોડ્યૂસર વેરીફાઈડ ઈલેક્ટ્રોનિક સાઈનના માધ્યમથી આધાર ઈકોસિસ્ટમથી ઇન્ટ્રોડ્યૂસ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.