રાજકોટ-જામનગર હાઈવે પર ધ્રોલ નજીક વરરાજાની કારને નડ્યો અકસ્માત,એકનું મોત.

રાજકોટ-જામનગર હાઈવે પર ધ્રોલ પાસે વરરાજાની કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અકસ્માતમાં કાર ચાલકનું મોત નીપજ્યું હતું અને આ ઘટનામાં ચાર બાળકો અને ચાર પુખ્ત વયના લોકો ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના દ્રશ્યો ખરેખર આઘાતજનક છે અને તસ્વીરોમાં જોઈ શકાય છે કે એસ.ટી. બસની ટક્કરથી વરરાજાની કારનું બોનેટ ઉડી ગયું હતું. પીડિતોના જણાવ્યા મુજબ એસટી બસના ચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટથી ખીજરિયા ગામ જઈ રહેલી વરરાજાની કારને અકસ્માત નડ્યો હતો. વરરાજાની કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ધ્રોલ નજીક સાંઈ મંદિર પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ પ્રથમ ઇજાગ્રસ્તોને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તમામ લોકોને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલાની જાણ 108 અને 108 ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓને થતા તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. મૃતકની ઓળખ રાજુભાઈ તરીકે થઈ છે.

બીજી તરફ જામનગર ગ્રામ્ય પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે પીએમ માટે મોકલી આપવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં હાજર ઈજાગ્રસ્તોના સંબંધીઓએ જણાવ્યું કે એસટી બસના ડ્રાઈવરની બેદરકારીને કારણે આ અકસ્માત થયો છે અને જામનગર પોલીસ એસટી બસના ચાલક સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવા કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે અને આ રીતે વરરાજાના લગ્ન મંડપ પહેલા અકસ્માત થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.