ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી કોંગ્રેસ પર વરસ્યા, ‘કાળા કીડા’ કહી કર્યું સંબોધન

ઝંખવાવમાં આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આપેલાં એક નિવેદનને કારણે રાજકારણ ગરમાયુ છે. અને આ મુદ્દે આગામી સમયમાં વિવાદ છેડાઈ શકે તેવી સંભાવના છે. ઝંખવાવ સ્નેહમિલન કાર્યક્રમમાં સભાને સંબોધન કરતાં જીતુ વાઘાણીએ કોંગ્રેસને કાળો કીડો કહી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષની આ ટિપ્પણીથી વિવાદ ઉભો થઈ શકે છે.

આ ઉપરાંત ઝંખવાવ સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષે પાર્ટીમાં નવા લોકોને લઈને પણ વાત કહી હતી. જીતુ વાઘાણીએ કહ્યું કે, પક્ષમાં જોડાતાં નવા સભ્યો માટે પૂર્વગ્રહ ન રાખવો. પાર્ટીમાં નવા સભ્યો જોડાશે તો તમારું પદ અને ટિકિટ નહીં જાય. તમારી ટિકિટ અને પદ જશે એવું મનમાંથી કાઢી નાખજો. આમ વાઘાણીએ ભાજપનાં જૂનાં સભ્યોને નવા સભ્યોને આવકારવા માટે કહ્યું હતું.

આ ઉપરાંત જીતુ વાઘાણીએ ખેડૂતો અંગે ટિપ્પણી કરતાં કહ્યું કે, ખેડૂતોનાં નુકસાનનો સર્વે થઈ રહ્યો છે. કુદરતી આફતમાં સરકાર ખેડૂતોની સાથે છે. ભૂતકાળમાં કોંગ્રેસે ક્યારેય પણ કર્યું નહીં હોય તેવું કરીશું. ગુજરાતમાં ખેડૂતો, પશુપાલકોની સ્થિતિ સારી છે. ખેડૂતોનાં નુકસાન અંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હોવાનું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.