ભરૂચ : ઝઘડિયાના રતનપુર ગામ નજીક કારમાં આગ લાગતા દોડધામ, કારમાં સવાર 4 લોકોનો આબાદ બચાવ
News Detail
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક ગત રાત્રીના સમયે કાર માં અચાનક આગ ભભૂકી ઉઠતા ભારે નાશભાગ ના ડ્રશ્યો સર્જાયા હતા,
ઝઘડિયા થી રતનપુર તરફ આવતી કાર માં રસ્તા વચ્ચે જ પ્રથમ ધુમાડા નીકળવા લાગતા કાર માં સવાર ૪ જેટલા લોકોએ સમય સુચકતા વાપરી કાર માંથી બાહર ઉતરી ગયા હતા,જે બાદ જોત જોતા માં કાર માં આગ ની જ્વાળાઓ ના ભડકા થતા ઉપસ્થિત લોકોમાં એક સમયે ઘબ્રાત નો માહોલ છવાયો હતો, રસ્તા વચ્ચે સળગી ઉઠેલી કાર ના પગલે સ્થળ ઉપર પણ લોકોના ટોળા જામ્યા હતા,માનવામાં આવી રહ્યું છે કે કાર માં શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોય શકે છે,જોકે ઘટના અંગેની જાણ ઝઘડિયા ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશકરોએ સ્થળ પર દોડી જઇ આગ ની જ્વાળાઓ માં રહેલ કાર ઉપર પાણીનો મારો ચલાવી ગણતરી ના સમય માં આગ ને કાબુમાં લીધી હતી,
અચાનક લાગેલ કાર મા આગ ની ઘટના માં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ પણ રાહત નો શ્વાસ લીધો હતો,જોકે ઘટના દરમિયાન થોડા સમય માટે સ્થળ પર ટોળા ભેગા થતા એક સમયે ટ્રાફિક ની સ્થિતિ નું પણ સર્જન થયું હતું,જોકે ઝઘડિયા પોલીસના જવાનોએ સ્થળ પર પહોંચી ટ્રાફિક ને હળવો કર્યો હતો,
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.