આજથી સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલનો પ્રારંભ, 1 લાખ વિદ્યાર્થીઓ લેશે ભાગ

આજે મંગળવારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  વિશ્વના સૌથી મોટા અમદાવાદ સાયન્સ સિટી ખાતે પાંચ દિવસીય સાયન્સ કાર્નિવલ – ‘વિજ્ઞાન મહોત્સવ’ને ખુલ્લો મુકશે. આજે ૨૮ ફેબ્રુઆરીથી ૪ માર્ચ ૨૦૨૩ એમ પાંચ દિવસ દરમિયાન આ આયોજન કરવામાં આવ્યું છે.

News Detail

 આજે મંગળવારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  વિશ્વના સૌથી મોટા અમદાવાદ સાયન્સ સિટી ખાતે પાંચ દિવસીય સાયન્સ કાર્નિવલ – ‘વિજ્ઞાન મહોત્સવ’ને ખુલ્લો મુકશે. આજે ૨૮ ફેબ્રુઆરીથી ૪ માર્ચ ૨૦૨૩ એમ પાંચ દિવસ દરમિયાન આ આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં વૈજ્ઞાનિક સંસ્થાઓ, શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ, રાજ્ય અને દેશના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો અને શિક્ષણવિદો સાથે વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને અનેક રસપ્રદ કાર્યક્રમો યોજવામાં આવશે.

 :સાયન્સ કાર્નિવલ- ૨૦૨૩ના મુખ્ય આકર્ષણો

વૈજ્ઞાનિક પ્રદર્શનો, સાઉન્ડ એન્ડ લાઇટ શો, 3D રંગોલી શો, પ્લેનેટોરિયમ શો, સાયન્સ મેજિક શો, પોપ્યુલર સાયન્સ ટોક , હેન્ડ્સ-ઑન પ્રવૃત્તિઓ, વિજ્ઞાન વર્કશોપ,  આકાશ દર્શન અને વૈજ્ઞાનિક થીમ પર આધારિત પેવેલિયન માટે માર્ગદર્શક સાથેનો પ્રવાસ

રોજ 20 હજાર બાળકો સાયન્સ કાર્નિવલની અંદર ભાગ લેશે
આ કાર્નિવલમાં સમગ્ર ગુજરાતમાંથી લગભગ 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ ભાગ લેશે અને જ્ઞાનની સાથે મનોરંજનનો આનંદ માણશે. ખાસ કરીને ગુજરાતમાં વિવિધ સાયન્સ સિટીમાં આ આયોજનો થઈ રહ્યા છે. તેમાં પણ દરરોજ 20 હજાર બાળકો સાયન્સ કાર્નિવલની અંદર ભાગ લેશે જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો સાયન્સ અવેરનેસને લગતા પણ થશે. આ સિવાય સાયન્સ સિટીના અન્ય પ્રકલ્પો પણ વિદ્યાર્થીઓને માણવા માટે મળશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.