સુરતના ઉત્રાણમાં 85 મીટર ઊંચા ટાવરને આજે વિસ્ફોટથી 15થી 20 સેકન્ડમાં તોડી પડાશે..

સુરતમાં 21 માર્ચના રોજ એટલે કે આજે ઉત્રાણ પાવર હાઉસના એક ટાવરને કન્ટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પડાશે અને જેમાં પાવર હાઉસની ચીમનીને કંટ્રોલ બ્લાસ્ટ કરી ધરાશાયી કરવામાં આવશે. જે માત્ર 15 થી 20 સેકન્ડમાં આ કુલિંગ હાઉસને તોડી પાડશે. ટાવર ઉતારવા અત્યાધુનિક એક્સપ્લોઝિવ કંટ્રોલ બ્લાસ્ટ સિસ્ટમ ઉપયોગ કરશે. અંદાજિત 220 કિલો વિસ્ફોટક વપરાશે. સવારે 11 થી 11.30 વાગ્યાની આસપાસ આ કામગીરી હાથ ધરાશે.

જેમાં ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યાં છે જેમા 135 મેગા વોટ પ્લાન્ટ જૂનો છે દરમિયાન કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ વર્ષો પછી જૂના પ્લાન્ટને તોડવા પડે છે. 21 માર્ચ ના રોજ કુલીંગ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પડાશે અને કંટ્રોલ બ્લાસ્ટની કામગીરી પુર્ણ થતા આશરે 30 થી 40 મીનીટનો સમય લાગી શકે છે બ્લાસ્ટીંગ ટાઈમ માત્ર 7 થી 8 સેકન્ડનો રહેશે એટલે કે માત્ર 7 થી 8 સેકન્ડ માં જ આખો ટાવર કડડભુસ થઈ જશે.

આ કામગીરી દરમયિાન આસપાસના વિસ્તારમાં ધડાકાના અવાજની તીવ્રતા સામાન્ય કરતાં વધુ રહેશે. આજુબાજુના વિસ્તારમાં આવેલ સોસાયટીના લોકોને કુલીંગ ટાવર તોડવાની કામગીરીને લઈ નોટીસ આપી સલામતી રાખવા સૂચન આપી દેવામાં આવી છે. તેમજ લોકોએ ઘરના બારી દરવાજા બંધ રાખવા પડશે. ઉત્રાણ સ્થિત આ ટાવર 85 મીટર ઊંચો છે ટાવર RCC કુલિંગ ટાવરને પણ કંટ્રોલ બ્લાસ્ટ દ્વારા તોડી પડાશે. 50 મીટરના વિસ્તારમાં જ ધુળની ડમરી ઉડશે અને પાંચ-દસ મિનિટ માટે વંટોળિયા જેવુ હવાનું દબાણ સર્જાઈ શકે છે.

ઉત્રાણ પાવર સ્ટેશનમાં કુલ 375 અને 135 મેગા વોટના બે પ્લાન્ટ ચાલી રહ્યાં છે, જેમાં 135 મેગા વોટ પ્લાન્ટ જૂનો છે. કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન જૂના પ્લાન્ટને તોડવો પડે છે. આ પ્લાન્ટને તોડવાની કામગીરી બે વર્ષથી ચાલી રહી છે. જેના ભાગરૂપે 21મીએ 85 મીટર ઉંચાઈના કુલીંગ ટાવરને કંટ્રોલ બ્લાસ્ટ કરી તોડી પડાશે અને બ્લાસ્ટની કામગીરી પુર્ણ થતા 40 મિનિટ લાગી શકે છે. જો કે, ટાવર તો માત્ર 10 થી 15 સેકન્ડમાં જ કડડભૂસ કરી દેવાશે. 3 મહિના અગાઉ નોઇડામાં પણ આ જ રીતે ડિમોલિશન કરાયું હતું.

આ ટાવર 1993માં આરસીસીનો બનાવાયો હતો. જે 2017માં સ્ક્રેપ કરાયો હતો. જમીનના ભાગે 70 મીટર વ્યાસ છે. જેને તોડવા માટે 250 કિલોનો કોમર્શિયલ વિસ્ફોટક વપરાશે. ટાવર તૂટતાં 20થી 25 મિનિટ સુધી હવામાં ધૂળના ગોટા ઉડતા જોવા મળશે 5-10 મિનિટ માટે વંટોળિયા જેવું વાતાવરણ સર્જાવાની શક્યતા હોવાતી આસપાસના ઘરોના બારી દરવાજા બંધ રાખવા પડશે અને આ સિવાય કોઇ મોટી અસર જોવા મળશે નહીં. જેથી અફવા કે ડર ફે ન ફેલાવવા તંત્રએ અપીલ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.