રાજસ્થાનમાં 6 વર્ષની દીકરીનુ પાડોશી આપેલા કુરકુરીયા ખાવાથી થયું મોત..

અત્યારે એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી ચૂકી છે. આ ઘટના જાણ્યા બાદ લોકોમાં ફફળાટનો માહોલ સર્જાઈ ગયો છે અને હાલ રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલી એક સોસાયટીની અંદર ભીમારામ શિરવી તેની પત્ની રેખા સીરવી અને તેમની છ વર્ષની દીકરી તનિષ્કારની સાથે રહીને જીવન ગુજારે છે..

તનિષ્કાના પિતા ભીમારામ બેંગ્લોરની કંપનીમાં કામ કરે છે. એક દિવસ તનિષ્કા જ્યારે તેના મોહલ્લામાં રમતી
Lહતી અને ત્યારે ત્યાં પડોશમાં રહેતી કન્યા દેવી નામની એક મહિલાએ તેને ખાવા માટે કુરકુરિયા આપ્યા હતા અને આ ઉપરાંત તનિષ્કારની સાથે અન્ય બે બાળકો પણ રમી રહ્યા હતા.

આ બાળકોએ પણ આ કુરકુરિયા ખાતા હતા..પરંતુ જ્યારથી તેઓએ આ કુરકુરીયા ખાધા હતા. ત્યારથી તેમની તબિયત ધીમે ધીમે બગડવા લાગી હતી. આ ત્રણેય બાળકોની હાલત એટલી બધી ગંભીર થઈ ગઈ કે, તેમને સારવાર માટે હોસ્પિટલ પણ લઈ જવા પડ્યા હતા અને ત્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તરત મૃત્યુ થઈ ગયું હતું.

જ્યારે અન્ય બે બાળકો સાજા થઈ ગયા ત્યારે આ ઘટનાના સમાચાર સુધી પહોંચ્યા ત્યારે તેઓ બેંગલોરથી પોતાને વતન આવવા માટે નીકળી ગયા હતા જ્યારે બીજી બાજુ તનિષ્કાના દફનવિધિ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી હતી અને પરિવારજનો એ રીતે રિવાજ મુજબ આ કામગીરીને પૂર્ણ કરી દીધી હતી..

અજાણ્યા વ્યક્તિ ઉપર પણ ભરોસો મૂકીને તે ચીજ વસ્તુને ખાઈ લેતા હોય છે. પરંતુ જ્યારે બાળકો નાના હોય ત્યારથી જ તેમને સલાહ શિખામણ આપતું રહેવું જોઈએ કે, અજાણ્યા વ્યક્તિ પાસેથી કોઈ પણ ચીજ વસ્તુ ન લેવી જોઈએ અને અજાણીએ વ્યક્તિ સાથે વાતચીત પણ કરવી ન જોઈએ કોઈક વખત એવો માઠો બનાવ સાંભળવો પડે છે કે, જેને લઇ દરેક માતા-પિતા ખૂબ જ દુઃખી થઈ જતા હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.