બચ્ચન પરિવારે ખખડાવ્યો હાઇકોર્ટનો દરવાજો! જાણો શું છે સમગ્ર મામલો??

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે અને ખરેખરમાં આ મામલો ફેક ન્યૂઝ સાથે જોડાયેલો છે. પુત્રી આરાધ્યા સાથે જોડાયેલી અફવાઓથી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન ખૂબ જ નારાજ હતા અને તેઓએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને જેમાં એવું બન્યું કે યુટ્યુબ ટેબ્લોઇડ્સે આરાધ્યા બચ્ચનની તબિયત વિશે અફવાઓ ફેલાવી, જેને જોઈને પરિવારજનો ખૂબ ગુસ્સે થયા અને હવે તેઓએ કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો.

બચ્ચન પરિવારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેણે યુટ્યુબ ટેબ્લોઈડ સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. જેમણે આરાધ્યના સ્વાસ્થ્ય વિશે ખોટા સમાચાર ફેલાવ્યા હતા. પરિવારે અરજીમાં જણાવ્યું હતું કે તેમની પુત્રી સગીર છે એન્ડ તેની સામે આવા નકારાત્મક સમાચાર પરેશાન કરે છે.

આરાધ્યા બચ્ચનની આ અરજી પર 20 એપ્રિલે સુનાવણી થશે. જસ્ટિસ સી હરિશંકરની સિંગલ જજની બેંચ આ મામલે સુનાવણી કરશે અને ઐશ્વર્યા અને અભિષેકે હજુ સુધી આ અહેવાલો પર સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી નથી.

જણાવી દઈએ કે અભિષેક બચ્ચન 11 વર્ષની દીકરી વિરુદ્ધ ટ્રોલિંગ અને નેગેટિવ ન્યૂઝ પર પ્રતિક્રિયા આપી ચૂક્યો છે અને તેણે કહ્યું હતું કે તે દીકરી વિરુદ્ધ આવી અભદ્ર વાતોને જરાય સહન નહીં કરે. અભિનેતાએ કહ્યું હતું કે તે એક સાર્વજનિક વ્યક્તિ છે, જો તેની કોઈ ભૂલ હોય અથવા કોઈ તેની સાથે અસંમત હોય તો તેણે તેને કંઈપણ કહેવું જોઈએ. પરંતુ તે તેની પુત્રીને આ બધામાં ખેંચીને સહન કરશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.