દિલ્હી સાક્ષી હત્યાકાંડના પડઘા સુરતમાં પડ્યા, ABVP દ્વારા ફાંસીની માગ સાથે પૂતળાદહન કરી વિરોધ પ્રદર્શન થયું

દિલ્હીમાં બનેલી સાક્ષી હત્યાકાંડના પડઘા સુરત માં જોવા મળ્યા છે. ૧૬ વર્ષની કિશોરીની દિલ્હીમાં થયેલી ઘાતકી હત્યા કેસ મામલે abvp દ્વારા ફાંસીની સજાની માંગ સાથે પૂતળા દહન કરી વિરોધ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં સાહિલ ઉર્ફે સરફરાજ નામના શખ્સ દ્વારા ૧૬ વર્ષની કિશોરીની સાક્ષીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

આ હત્યાની ઘટનાની દિલ્હી માં ભારે ચકચાર મચાવી દીધી છે. હત્યા કેસમાં સંડોવાયેલ આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ ચારે દિશામાં ઉઠી રહી છે. દિલ્હીમાં બનેલી ચકચારી આ હત્યા કેસના ઘેરા પડઘા સુરતમાં જોવા મળ્યા છે. સુરતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આરોપી સરફરાઝનું પૂતળા દહન કરવામાં આવ્યું છે

સુરતના સીટીલાઈટ ખાતે આવેલ અનુવ્રત દ્વારા પાસે જાહેરમાં આરોપીના પૂતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો. જ્યાં ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ નોંધાવી abvp ના કાર્યકરોએ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ના બને તે માટે સરકાર પાસે માંગ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ આરોપી સરફરાઝ વિરુદ્ધ ઝડપી કેસ ચલાવી ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ એબીવીપી દ્વારા કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.