ગુજરાતના પહેલી હરોળના નેતા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું કોંગ્રેસને ટાટા બાય-બાય

  • આખરે ગુજરાતના પહેલી હરોળના નેતાઓમાંથી એક અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ પંજાનો સાથ છોડી દીધો છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર બાદ પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્યએ પણ કોંગ્રેસ છોડવાનો નિર્ણય લઈ લીધો છે.અમદાવાદઃ અંબરીશ ડેર બાદ હવે કોંગ્રેસને સૌથી મોટો ફટકો અર્જુન મોઢવાડિયાનો લાગ્યો છે. અંબરીશ ડેરે કોંગ્રેસને અલવિદા કર્યું ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની હતી. જાન્યુઆરીના અંતમાં જ્યારે સીજે ચાવડાએ રાજીનામું આપ્યું ત્યારે પણ સીજે ચાવડાનું નામ ચર્ચામાં આવી ગયું હતું પરંતુ તેમણે આ વાતને ફગાવી દીધી હતી. જોકે, હવે તેમણે આખરે જે અટકળો હતી તેને સાચી પૂરવાર કરી દીધી છે. કોંગ્રેસ પોતાના પહેલી હરોળના નેતાને સાચવવામાં થાપ ખાઈ ગઈ હોવાની ચર્ચાઓ હવે શરુ થઈ ગઈ છે. અર્જુન મોઢવાડિયાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોરબંદરના ધારાસભ્ય પદેથી રાજીનામું સોંપ્યું

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.