ગોડસેને દેશભક્ત કહેવા બદલ સાધ્વી પ્રજ્ઞા પર સરકારે કરી આ મોટી કાયઁવાહી

બુધવારે સંસદમાં મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યાં બાદ ભારતીય જનતા પાર્ટી અને સરકારે મોટો નિર્ણય લેતા પ્રજ્ઞા ઠાકુરને સરંક્ષણ બાબતોની સંસદીય પેનલમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ સત્ર દરમિયાન થનારા બીજેપી સંસદીય દળની બેઠકોમાં પણ સાધ્વી પ્રજ્ઞાને નહીં આવવાં માટે ફરમાન આપવામાં આવ્યું છે.

સૂત્રોનું કહેવું છે કે સાધ્વી પ્રજ્ઞા સામે પાર્ટી પણ શિસ્તતા ભંગની મોટી કાર્યવાહી કરે તેવી સંભાવના છે. તેમને પાર્ટીમાંથી બરતરફ કરી દેવાય તેવી સંભાવના પણ વધી છે. બીજેપીના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે સંસદમાં તેમણે આપેલું નિવેદન ટીકાને પાત્ર છે. આ પ્રકારના વિચારોનું સમર્થન ભારતીય જનતા પાર્ટી કરતી નથી.

ઉલ્લેખનીય છે કે બુધવારે એસપીજી સુધારણા બિલ વખતે થઇ રહેલી ચર્ચામાં ડીએમકે સાંસદ એ. રાજાના નિવેદન પર પ્રતિક્રિયા કરતા ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. જો કે તેમનું નિવેદન રેકોર્ડ પર લેવામાં આવ્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.