ઉદ્ધવ ઠાકરેના શપથ ગ્રહણ સમારોહમાં ના આવ્યા સોનિયા ગાંધી, આગળ ધર્યું આ ‘બહાનું’

શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે પહેલીવાર મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની કમાન સંભાળવા જઈ રહ્યાં છે. શિવાજી પાર્કમાં ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં શપથ ગ્રહણ કરશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં સાથી પક્ષ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ સોનિયા ગાંધી આ કાર્યક્રમમાં હાજર નહીં રહે.

આદિત્ય ઠાકરેએ ગઈ કાલે બુધવારે દિલ્હી જઈને સોનિયા ગાંધીને આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. આદિત્ય ઠાકરેએ આ દરમિયાન મનમોહન સિંહને પણ આમંત્રણ આપ્યું હતું. પરંતુ સોનિયા ગાંધીએ આ કાર્યક્રમમાં આવવાનો ઈનકાર કર્યો છે.

સોનિયા ગાંધીએ આ કાર્યક્રમમાં હાજરી ના આપવાને લઈને કારણ આગળ ધરતા કહ્યું છે કે, દેશ ભાજપના અપ્રત્યાશિત ખતરામાં છે. મને અફશોસ છે કે હું શપથ ગ્રહણ સમારોહમાં શામેલ થઈ શકીશ નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.