‘મા અમે તૈયાર છીએ’, તારા સંતાનોને મારવા વાળા તારા કાર્યક્રમમાં આવશે તો અમે માર આપીને જ મોકલીશું’

મહેસાણાના ઊંઝામાં ૧૮થી ૨૨ ડિસેમ્બરે ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞાનું આયોજન કરાયું છે, આ ઉત્સવમાં રાજકીય પક્ષોના આગેવાનો પણ સામેલ થવાના છે ત્યારે કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા ઉપર એક સ્ટોરી અપલોડ કરીને ઉશ્કેરણી કરી છે, જેમાં લખવામાં આવ્યું છે કે, ‘મા અમે તૈયાર છીએ. તારા સંતાનોને મારવા વાળા તારા કાર્યક્રમમાં આવશે તો અમે માર આપીને જ મોકલીશું’.

આમ હાર્દિકે શાંતિમાં પલિતો ચંપાય ઉપરાંત પાટીદાર અનામત આંદોલન વખતે સમાજના યુવાનોને ગેરમાર્ગે દોર્યા હતા તે રીતે ફરી એકવાર રાજકીય રોટલા શેકવા માટે પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલે સમાજના યુવાનોને ઉશ્કેર્યા હતા, ગુજરાતમાં તોફાનો થયા અને ૧૪ જેટલા પાટીદાર યુવાનો શહીદ થયા હતા.

જોકે હવે ફરી એક વાર રાજકીય લાભ મેળવવાની ગણતરીથી હાર્દિક પટેલે સમાજના યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હોવાનું ખુદ પાસના આગેવાનો નામ જાહેર નહિ કરવાની શરતે જણાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.