નાગરિકતા સંશોધન બિલ બન્યો કાયદો, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

નાગરિકતા સંશોધન વિધેયક 2019 બુધવારે રાજ્યસભામાં પારિત થઈ ગયું હતું. આ વિધેયક લોકસભામાં પહેલા જ પારિત થઈ ગયું હતું. ગુરુવારની મોડી રાત્રે રાષ્ટ્રપતિએ આ વિધેયકને મંજૂરી આપી દેતાં હવે આ વિધેયક કાનૂન બની ગયો છે. રાજ્યસભામાં વિધેયકનાં પક્ષમાં 125 જ્યારે વિરોધમાં 105 વોટ પડ્યા હતા.

આ પહેલાં વિધેયકને સેલેક્ટ કમિટીની પાસે મોકલવાના પ્રસ્તાવને નામંજૂર કરી દેવામાં આવ્યો હતો. આ કાનૂન બાદ દેશનાં અલગ અલગ ભાગોમાં ગેરકાયદે રહેતાં અપ્રવાસીઓ માટે નિવાસનું કોઈ પ્રમાણપત્ર ન હોય તો પણ નાગરિકતા હાંસલ કરવું હવે સરળ બની ગયું છે.

રાષ્ટ્રપતિએ કોવિંદે આ બિલને મંજૂરી આપી દીધા બાદ નાગરિકતા કાનૂન, 1955માં સંબંધિત સંશોધન થઈ ગયું છે. તેનાથી 3 પાડોશી ઈસ્લામી દેશ- પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક યાતનાઓનો શિકાર થઈન ભારતની શરળમાં આવનારને સરળતાથી નાગરિકતા મળી શકશે.

ભારતની નાગરિકતા મેળવવા માટેની સમયસીમા 31 ડિસેમ્બર 2014 હશે. એટલે કે, આ તારીખ પહેલાં કે આ તારીખ સુધી ભારતમાં પ્રવેશ કરનાર નાગરિકતા માટે આવેદન કરવા માટે યોગ્ય ગણાશે. આ કાનૂન અનુસાર હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોનાં જે સભ્યો 31 ડિસેમ્બર 2014 સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવ્યા છે, તેઓને ગેરકાનૂની પ્રવાસી નહીં માનવામાં આવે. અને તેઓને ભારતની નાગરિકતા આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.